શનિવારે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (GoM)ની થયેલી બેઠક પછી ચાલી રહેવી ચર્ચા અનુસાર, લૉકડાઉન 3 મે પછી ખત્મ થયા બાદ પણ રેલ્વે અને હવાઇ સેવાઓ શરૂ કરવામાં આવશે નહી.
તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ કહ્યુ કે, અત્યારે પ્રાઇવેટ એરલાઇન્સ ટિકિટનું વેચાણ ના કરે. જોકે આ નિવેદન તેમણે ત્યારે આપ્યુ હતુ જ્યારથી કેટલીક એરલાઇન્સ દ્વારા 4 મે પછીની ફ્લાઇટ ટિકિટ બુક કરવાની શરૂ કરી દેવામાં આવી હતી.
3 મેથી રેલ્વે, હવાઇ સફર થવાની શક્યતા નથી
શનિવારે રક્ષા મંત્રી રાજથાથ સિંહના નેતૃત્વમાં COVID 19 માટે બનેલી GoM ની પાંચમી બેઠક પર આ વિષયોની રિપોર્ટ તૈયાર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવી છે. સૂત્રોનુસાર, રેલ્વે અને હવાઇ સેવાઓ 3 મે પછી પણ શરૂ નહી થાય. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ અને પીએમ મોદી દ્વારા સ્થિતિ જોઇને જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ટ્રેનમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન અસંભવ
રિપોર્ટ અનુસાર, ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ આ સ્થિતિમાં ટ્રેન શરૂ કરવાના પક્ષમાં નથી. મંત્રીઓ અનુસાર, રેલગાડીઓમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગની પાલન કરાવવું અસંભવ છે. સૂત્રોનુસાર, એર ઇન્ડિયા અને પ્રાઇવેટ એરલાઇન્સને 3 મે પછી પણ ટિકિટ બુક ના કરવા માટે કહેવામાં આવ્યુ છે.
The Ministry of Civil Aviation clarifies that so far no decision has been taken to open domestic or international operations. Airlines are advised to open their bookings only after a decision in this regard is taken by the Government.
તમને જણાવી દઇએ કે, આ પહેલા જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, હજુ સુધી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય હવાઇ સફર કરવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે કે ભારતમાં કોઇ ફ્લાઇટ શરૂ થશે નહી. સરકાર આ અંગે કોઈ નિર્ણય લે ત્યારે જ એરલાઈન્સને બુકિંગ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.
25 માર્ચથી બંધ છે ટ્રેન અને હવાઇ સફર
દેશમાં 25 માર્ચના લૉકડાઉન લાગૂ થતા જ ટ્રેન, ફ્લાઇટ, બસ સિવાય તમામ આવનજવાનના સાધન બંધ છે. પહેલા લૉકડાઉન 14 એપ્રિલ સુધીનું હતુ, જોકે હવે વધારીને 3 મે સુધી વધારી દેવામાં આવ્યુ છે.
કેન્સલ ટિકિટ પર કેશ રિફન્ડ પણ
લોકડાઉન દરમિયાન બુક કરવામાં આવેલી ટિકિટો પર ક્રેડિટ રિફંડ અને કેશ રિફંડ બંને મળી રહ્યું છે. જો તમારી ટિકિટ 25 માર્ચ અને 3 મેની વચ્ચે છે તો એરલાઈન્સ ક્રેડિટ રિફંડની સુવિધા આપી રહી છે જેના અંતર્ગત પેસેન્જર રી-શિડ્યૂલ કરી શકે છે. બાદમાં એવિએશ મિનિસ્ટ્રીના આદેશ પર 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે ટિકિટ બુકિંગ પર કેશ રિફંડ આપવામાં આવી રહ્યું છે.