મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસ ગઠબંધન મહાવિકાસ અઘાડીની સરકારમાં ખાતાની ફાળવણી ને લઇને અસંમજસ જોવા મળી રહ્યું છે. સૂત્રોને મળતી માહિતી મુજબ શરદ પવારના નેતૃત્વવાળી NCP ના નેતાઓ પાસે મહત્વના ખાતાઓ જઇ શકે છે. જેમ કે નાણાં, ગૃહ, કૃષિ અને આવાસ વિકાસ મંત્રાલય NCP પાસે જઇ શકે છે.
મહારાષ્ટ્રમાં ખાતાની ફાળવણીને લઇને ખેંચતાણ
NCP ના નેતાઓને મળી શકે છે મહત્વના ખાતા
અજિત પવારને નાણા મંત્રાલય મળે તેવી શક્યતા
એક મળતાં અહેવાલ મુજબ NCP અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા અજિત પવારને નાણા મંત્રાલય મળી શકે છે, જ્યારે અન્ય પ્રમુખ વિભાગોને લઇને હાલ વાતચીતનો દોર ચાલી રહ્યો છે.
જ્યારે રાજ્યમાં ગૃહ મંત્રાલય માટે સૌથી આગળ NCP ના નવાબ મલિકનું નામ ચાલી રહ્યું છે, જ્યાર કૃષિ વિભાગ માટે જયંત પાટિલ અને આવાસ વિકાસની કમાન જિતેન્દ્ર અવહાદને સોંપવામાં આવે તેવી શક્યતા છે. આ ત્રણેય નેતા NCP છે.
જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો પૂર્વ CM અશોક ચવ્હાણને લોક કલ્યાણ વિભાગ અને બાલા સાહેબ થોરાટને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
શિવસેનાએ રાજ્યમાં મુખ્ય ખાતાની ફાળવણીને લઇને ગઠબંધનની ત્રણેય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ખેંચતાણની વાત ગુરૂવાર સ્વીકારતાં કહ્યું કે કેટલાંક ધારાસભ્યોને મંત્રી બનાવી શકાયા નથી, કારણે સંભવિતોની યાદી ઘણી લાંબી હતી.