24 મીએ પ્રધાનમંત્રી મોદીની સર્વપક્ષીય બેઠક પહેલા સરકારે કાશ્મીરને વિભાજીત કરવાની અફવાને રદિયો આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
24 મીએ પ્રધાનમંત્રી મોદીની સર્વપક્ષીય બેઠક
સરકારે કાશ્મીરને વિભાજીત કરવાની અફવાને રદિયો આપ્યો
જમ્મુ કાશ્મીરને વિભાજીત કરવાની અફવા બિલકુલ પાયાવિહોણી
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને વિભાજીત કરવાની અફવા બિલકુલ પાયાવિહોણી છે અને આવું કંઈ પણ થવાનું નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે છે અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાળવી રાખવામાં આવી શકે. એટલુ જ નહીં સાઉથ અને નોર્થ કાશ્મીરને અલગ તથા શ્રીનગરને અલગ કરવાની પણ અફવા ફેલાઈ હતી.
સૂત્રોએ જણાવ્યું કે સર્વપક્ષીય બેઠક કાશ્મીરની જનતાના હિતમાં રાજકીય પ્રક્રિયાને સ્થાપિત કરવાની દિશામાં ભરવામાં આવેલું મોટું પગલું છએ. સરકાર કાશ્મીરમાં આ વર્ષના અંત સુધઈમાં તમામ પક્ષોના સહયોગથી પ્રક્રિયા પૂરી કરી લેવા માંગે છે સાથે વર્ષના અંત સુધીમાં અથવા તો પછી આગામી વર્ષના માર્ચ સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માંગે છે.
24 જૂનના દિવસે દિલ્હીમાં કાશ્મીરના નેતાઓ સાથે બેઠક
પ્રધાનમંત્રી મોદીએ 24 જૂનના દિવસે દિલ્હીમાં કાશ્મીરના નેતાઓ સાથે સંવેદનશીલ બેઠક બોલાવી છે. આ ઘટનાને કાશ્મીરની રાજનીતિમાં ઘણા મોટા ફેરફાર અને ઘણી મોટી શરૂઆત થવાની હોય તેવું લાગી રહ્યું છે. PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ આ મિટિંગના સંદર્ભમાં કહ્યું કે તેમની પાર્ટી જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરવાના નિમંત્રણ પર ચર્ચા કરવા માટે રવિવારે નેતાઓ સાથે એક બેઠક કરશે. બધા જ દળની બેઠકમાં સામેલ થવું કે નહીં તે નક્કી કરવા માટે આ રવિવારે PAC બેઠક બોલાવવામાં આવી છે.
મહેબૂબા મુફ્તી રવિવારે પોતાના નેતાઓ સાથે બેઠક કરી વિચારણા કરશે
મુખ્ય રૂપે જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરમાં વિધાન સભાની ચૂંટણી કરવા માટે રાજનૈતિક પ્રક્રિયાઓ મજબૂત કરવા માટે કેન્દ્રની આ પહેલ હેઠળ PM મોદી દ્વારા 24 જૂનના રોજ બધા જ રાજનૈતિક દળો સાથે બેઠકની અધ્યક્ષતા કરી શકે છે. મહબૂબાના નેતૃત્વમાં રવિવારે થનારી બેઠકમાં આર વીરી, મૂહમદ્દ સરતાજ મદની, લોન હજુરા, ડૉ. મહબૂબ બેગ, નઇમ અખ્તર, સુરિન્દર ચૌધરી, યક્ષપાલ શર્મા, માસ્ટર તસ્સદૂક, અબ્દુલ ગફ્ફાર, નિજામ ઉદ્દીન ભટ જેવા નેતાઓ સાથે બીજા ઘણા અધિકારીઓ પણ સામેલ થશે.