ખાતાધારકના ખાતામાં બેંક દ્વારા નિર્ધારિત રકમ ન હોય તો આવી સ્થિતિમાં બેંક ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે. જો કે આ દંડ દરેક બેંકમાં અલગ અલગ હોય છે.
બેંકમાં રાખવામાં આવતી મિનિમમ બેલેન્સને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા
મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતો દંડ હટાવવાની યોજના
શું છે મિનિમમ બેલેન્સ
આજકાલ લગભગ દેશના દરેક નાગરિક પાસે તેનું પોતાનું બેંક ખાતું છે અને આપણે બધા જાણીએ છીએ કે દરેક લોકો માટે બેંક ખાતામાં મિનિમમ બેલેન્સના નિયમો જાળવવા જરૂરી છે. એવામાં જો કોઈ ખાતાધારકના ખાતામાં બેંક દ્વારા નિર્ધારિત રકમ ન હોય તો આવી સ્થિતિમાં બેંક ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે. જો કે આ દંડ દરેક બેંકમાં અલગ અલગ હોય છે. પણ આ બધા વચ્ચે બેંક ખાતામાં રાખવામાં આવતી મિનિમમ બેલેન્સને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે સરકાર બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ દંડ હટાવવાની યોજના બનાવી રહી છે અને આ મામલે નાણા રાજ્ય મંત્રી ભાગવત કિશનરાવ કરાડએ હાલ જ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતો દંડ હટાવવાની યોજના
જણાવી દઈએ કે નાણા રાજ્ય મંત્રી ભાગવત કિશનરાવ કરાડે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'બેંકનું બોર્ડ હાલ વિચાર કરી રહ્યું છે કે ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર લગવામાં આવતો દંડ હટાવી દેવો જોઈએ. આ વિશે વાત કરતાં કરાડે કહ્યું હતું કે 'બેંક એક સ્વતંત્ર સંસ્થા છે અને તે પોતાની અને પોતાના ગ્રાહકોની તરફેણમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે.' આ વાત પરથી અટકળો વધી છે કે ટૂંક સમયમાં બેંકોમાં લઘુત્તમ બેલેન્સ પર વસૂલવામાં આવતો દંડ હટાવી શકાય છે.
શું છે મિનિમમ બેલેન્સ
બેંકો તેમના ગ્રાહકોને સેવિંગ્સ એકાઉન્ટ પર ઘણી સુવિધાઓ આપે છે પણ આ સુવિધાઓની સાથે ગ્રાહકોએ કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડે છે અને તેમાંથી એક છે મિનિમમ બેલેન્સ જાળવી રાખવું. દરેક બેંકમાં અલગ-અલગ મિનિમમ બેલેન્સ લિમિટ હોય છે અને એ બેલેન્સને ગ્રાહકોએ જાળવી રાખવાની હોય છે. એવા માં જો કોઈ ગ્રાહક બેંકના નિયમ અનુસાર મિનિમમ બેલેન્સ ન રાખે તો બેંક તેની પાસેથી દંડ વસૂલ કરે છે.
બેન્કો ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે
આમ તો બેંક ગ્રાહકને ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ વગેરે જેવી અનેક સુવિધાઓ આપે છે પણ આ બધી સુવિધાઓ મફતમાં નથી મળતી. આ બધા માટે બેંકના ગ્રાહકોએ ફી ચૂકવવી પડે છે. એવી જ રીતે ગ્રાહકે મિનિમમ બેલેન્સ જાળવવું પડે છે અને જો તે આમ ન કરો તો બેંક આ માટે અલગથી ચાર્જ વસૂલે છે.