સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ બાદ હવે તુવેરનું કૌભાંડ સામે આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં સતત કૌભાંડ બહાર આવતા રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ છે. આ મામલે રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયા, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, લલિત વસોયા અને કોંગ્રેસના સભ્ય પાલભાઈ આંબલિયાએ નિવેદન આપ્યું છે. જોઇએ આ અહેવાલમાં.
જૂનાગઢના કેશોદમાં તુવેર કૌભાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે તુવેર ભેળવીને મળતિયાઓને માલામાલ કરવાનું આ કૌભાંડ છે. અનેકવાર રજૂઆત છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવતું. સરકારની મિલીભગતથી જ કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો બીજી તરફ લલિત વસોયાએ કૌભાંડ મોટા માથાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.