ગાંધીનગર: ગુજરાતના કોઇ પણ પૂર્વ મુખ્યમંત્રી આ વખતે લોકસબા ચૂંટણી લડી રહ્યું નથી. અહીંયા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, સુરેશ મહેતા, દિલીપ પારિખ, આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલામાં કોઇએ કોઇ સીટ પરથી નામાંકન દાખલ કર્યું નથી. જો કે બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો લોકસબાની ચૂંટણી લડી રહ્યા છે. એમાં એક પૂ્રવ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરત સોલંકી અને બીજા દિવંગત અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી છે.
રાજ્યના 5 પૂર્વ મુખ્યમંત્રીમાંથી કોઇ પણ નથી લડી રહ્યું ચૂંટણી
જણાવી દઇએ કે માધવસિંહના પુત્ર ભરત સોલંકી આનંદ નિર્વાચન ક્ષેત્રથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તો બીજી બાજુ એનસીપી નેતા હોવા છતાં શંકરસિંહ વાઘેલા અથવા એમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી. આ ઉપરાંત રાજ્યના દિવંગત મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી.
કોંગ્રેસનો દાવો છે કે ગુજરાતમાં નેતા પુત્રોની બંને સીટો સુરક્ષિત છે. આણંદ અને બારડોલીમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ટકરાવ છે. ભાજપનો દાવો છે કે અમે આ બંને નેતાઓને હરાવી દઇશું. ઇતિહાસ પર ધ્યાન આપીએ તો આણંદ લોકસભા સીટ કોંગ્રેસ માટે મજબૂત રહી છે, જો કે 2014ની ચૂંટણીમાં એ ત્યાં ભાજપથી હારી ગઇ. એવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભરત સિંહ સોલંકીનું જીતવું સરળ નથી. આણંદ સીટ પર ભાજપે દિલીપ પટેલને ટિકીટ આપી નથી, પરંતુ એમની જગ્યા પર મિતેશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
બીજી બાજુ બારડોલી લોકસભા ચૂંટણી પર તુષાર ચૌધરીએ યૂપીએ સરકારમાં મંત્રી બનતા પહેલા ચૂંટણી જીતી. તુષાર ચૌધરી વિરુદ્ધ ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા એક મજબૂત પ્રત્યાશી છે, પરંતુ એમની જીત સરળ માનવામાં આવી રહી નથી. આ સીટ પર આદિવાસી મતદાતા મહત્વપૂર્ણ છે.