નામ કોઈ પણ વ્યક્તિની ઓળખ તો બતાવે છે. આ સાથે તેના જીવન સાથે જોડાયેલા અન્ય રહસ્યો પણ ખોલી નાખે છે. જ્યોતિષ અનુસાર, નામના પહેલા અક્ષરથી કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ, આદતો, લવ લાઈફ અને કારકિર્દી લાઈફ સુધી ઘણુ બધુ જાણી શકાય છે.
શું તમારું નામ આ ત્રણ અક્ષરમાંથી તો નથી ને?
જ્યોતિષ મુજબ આ ત્રણ અક્ષરના લોકો કામમાં મેળવે છે સફળતા
આવા લોકોની પાસે ક્યારેય નાણાની અછત સર્જાતી નથી
આજે આપણે કેટલાંક ખાસ અક્ષરો વિશે જાણીશુ. જે અક્ષરથી શરૂ થતા લોકો જીવનમાં ખૂબ રૂપિયા કમાય છે. એટલું જ નહીં, રૂપિયાનો ક્યારે, ક્યા અને કેવીરીતે ઉપયોગ કરવો છે તેની સમજશક્તિ પણ સારી હોય છે. જે લોકોનું નામ A અક્ષરથી શરૂ થાય છે તેની અંદર નેતૃત્વ કરવાની સારી ક્ષમતા હોય છે. આ જલ્દી હાર માનતા નથી. તેઓ પોતાના કાર્યોમાં જીત પ્રાપ્ત કરવા માટે ભરપૂર પ્રયાસ કરે છે. તેઓ જીવનમાં દરેક વસ્તુ પ્રાપ્ત કરે છે. તેઓ પરિશ્રમ કરી સારું બેન્ક બેલેન્સ બનાવવામાં સફળ રહે છે. આવા લોકોની આર્થિક સ્થિતિ ઘણી સારી રહે છે. આ દિલના સ્પષ્ટ અને તિવ્ર બુદ્ધીના હોય છે.
જે લોકોનું નામ L અક્ષરથી શરૂ થાય છે, એવા લોકો ખૂબ લકી હોય છે. તેમને જીવનમાં સર્વ સુખ પ્રાપ્ત થાય છે. આવા લોકોને ધન કુબેર બનવાથી કોઈ રોકી શકતુ નથી. કારણકે તેઓ પૈસા બનાવવામાં ખૂબ માહેર હોય છે. આ સાથે રૂપિયા જોડવામાં પણ આગળ હોય છે. આવા લોકોની પાસે ધન-ધાન્યની અછત ક્યારેય સર્જાતી નથી. આ લોકો જે કામ હાથમાં લે છે, તેમાં સફળતા પ્રાપ્ત કરે છે.
જે લોકોનું નામ P અક્ષરથી શરૂ થાય છે, તે લોકો ચપળ બુદ્ધીના હોય છે. જે કામ કરવાનુ નક્કી કરે છે તેને દરેક સ્થિતિમાં કરીને જ જંપે છે. આવા લોકોની પાસે ક્યારેય નાણાંની અછત સર્જાતી નથી. તેઓ પોતાના પરિશ્રમથી ખૂબ રૂપિયા અને માન-સન્માન કમાય છે. આવા લોકોની ઉપર માં લક્ષ્મી અને નાણાના દેવતા કુબેરની વિશેષ કૃપા રહે છે.