દેશમાં કોરોના સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયનો મોટો નિર્ણય
કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે નહીં કરાવવું પડે નવું રજિસ્ટ્રેશન
10 જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં. જે લોકોએ COVID-19 રસીના બે ડોઝ મેળવ્યા છે તેઓ કોઈપણ રસીકરણ કેન્દ્રમાં સીધા જ મુલાકાત લઈ શકે છે અથવા વૉક-ઈન કરી શકે છે.
There is no need for new registration. Those who have taken two doses of COVID19 vaccine can directly take an appointment or walk-in to any COVID19 Vaccination Centre: Ministry of Health & Family Welfare on 'Precautionary dose'
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ 8 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આવતીકાલ સાંજથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે રસીકરણ 10 જાન્યુઆરીથી શરૂ થશે.
આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 60 વર્ષથી વધુ ઉંમરના નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ત્રીજી રસી તરીકે સાવચેતીના ડોઝની રજૂઆતની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત 10મી જાન્યુઆરી, સોમવારના દિવસથી કરવામાં આવશે. બૂસ્ટર કે પ્રિ-કન્સેપ્શન ડોઝને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હતા. આ પ્રશ્નોના જવાબમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓએ નવી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં.
આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ લોકોએ તેમની રસી માટે માત્ર રસીકરણ કેન્દ્રમાં તેમની એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જો તે કોઈ કારણસર એપોઈન્ટમેન્ટ લઈ શકતા નથી, તો તે સીધા રસીકરણ કેન્દ્ર પર જઈને પણ રસી લગાવી શકે છે.
રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવનાર બૂસ્ટર વેક્સીનનો ડોઝ પ્રથમ બે ડોઝ જેવો જ હશે. નીતિ આયોગના સદસ્ય ડૉ. વિનોદ કે પૉલે જણાવ્યું હતું કે, જેમને કોવૅક્સિન મળ્યું છે, તેમને જ કોવૅક્સિન આપવામાં આવશે. જેમણે કોવિશિલ્ડના પ્રાથમિક બે ડોઝ મેળવ્યા છે તેમને કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં.