કોરોનાની ત્રીજી લહેરનું હજુ સુધી કોઈ સગડ ન મળ્યો હોવાથી હવે વાયરલોજિસ્ટ અને ડોક્ટરોનું માનવું છે કે ઓક્ટોમ્બર-નવેમ્બરમાં ત્રીજી લહેર ત્રાટકી શકે છે.
મહામારીમાં સૌથી મોટા રાહતના સમાચાર
કોરોનાનો અંત હવે નજદીકમાં
કોરોનાની ત્રીજી લહેરનો કોઈ સગડ નહીં
કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ મોજૂદ નથી
જોકે હેલ્થ નિષ્ણાંતોનો દાવો છે કે કોરોના મહામારીના વળતા પાણી થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ઓક્ટોબરની મધ્યમાં થયેલા જિનોમ સિકવન્સિંગ અને બીજા સ્ટડીમાં એવો સંકેત મળ્યો છે હાલમાં કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ મોજૂદ નથી અને તેથી ત્રીજી લહેરનો કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે ધીરે ધીરે મહામારીનો અસ્ત આવી જશે.
ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના નિયમોનું પાલન કરવાની તાકીદ
જોકે સરકાર અને નિષ્ણાંતોએ લોકોએ ઓછામા ઓછું ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના નિયમોનું પાલન કરવાની તાકીદ કરી છે. ફેબ્રુઆરી 2022 સુધીમાં દેશના તમામ લોકોનું વેક્સિનેશન થઈ જવાની ધારણા છે. હેલ્થ કમિશનરે જણાવ્યું કે જિનોમ સિકવન્સિંગ ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવી રહ્યું છે. દરરોજ લગભગ 10 ટકા પોઝિટીવ સેમ્પલોનો અભ્યાસ કરાઈ રહ્યો છે.
જિનોમ સિકવન્સિંગના નોડલ અધિકારી ડોક્ટર રવીએ જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ હવે ડેલ્ટા વેરિયન્ટ સુધી સીમિત રહ્યું છે અને તે હવે અસ્ત થઈ રહ્યું છે. વ્યાપક રસીકરણને કારણે કોરોના તાકાત ગુમાવી રહ્યો છે.