હાલમાં કોરોનાના કોઈ વેરિયન્ટ મોજૂદ ન હોવાને કારણે ત્રીજી લહેરની સંભાવના ખતમ થઈ છે તેવો મોટો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો છે.
હાલમાં કોરોનાના કોઈ વેરિયન્ટ નહીં
ત્રીજી લહેર હવે નહીં જ આવે
ત્રીજી લહેરની સંભાવના ખતમ
કોરોનાની ત્રીજી લહેર વિશે રાહતના સમાચાર બહાર આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે આ સમયે વધુ એક કોરોનાની ત્રીજી લહેરનો કોઈ સંકેત નથી. પ્રથમ અને બીજી લહેર વચ્ચેના અંતરાલના આધારે કેટલાક વાયરોલોજિસ્ટ અને ડોકટરોએ કહ્યું હતું કે ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરમાં આવી શકે છે.
હજુ પણ સાવચેત રહેવાની જરુર
જોકે, આપણે હજી પણ સાવચેત રહેવાની જરૂર છે, એમ આરોગ્ય કમિશનર રણદીપ ડી. જ્યાં સુધી આપણે 100% સેકન્ડ ડોઝ વેક્સિન કવરેજ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી કોવિડ નિયમોનું કડક પાલન કરવું જોઈએ. અત્યાર સુધીમાં કર્ણાટકમાં અંદાજિત પાંચ કરોડ લક્ષ્યવસ્તીમાંથી લગભગ 80 ટકા ને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 30 ટકાને સંપૂર્ણ રસી આપવામાં આવી છે (બીજો ડોઝ પણ). આ રાષ્ટ્રીય સરેરાશ પ્રથમ ડોઝ કવરેજ (95 કરોડ ટાર્ગેટપોપ્યુલેશન) કરતાં 70 ટકા વધુ અને બીજા ડોઝ કરતાં 30 ટકા વધુ છે.
કોરોના મહામારીના વળતા પાણી થઈ ચૂક્યા છે
જોકે હેલ્થ નિષ્ણાંતોનો દાવો છે કે કોરોના મહામારીના વળતા પાણી થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ઓક્ટોબરની મધ્યમાં થયેલા જિનોમ સિકવન્સિંગ અને બીજા સ્ટડીમાં એવો સંકેત મળ્યો છે હાલમાં કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ મોજૂદ નથી અને તેથી ત્રીજી લહેરનો કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે ધીરે ધીરે મહામારીનો અસ્ત આવી જશે.
ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના નિયમોનું પાલન કરવાની તાકીદ
જોકે સરકાર અને નિષ્ણાંતોએ લોકોએ ઓછામા ઓછું ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના નિયમોનું પાલન કરવાની તાકીદ કરી છે. ફેબ્રુઆરી 2022 સુધીમાં દેશના તમામ લોકોનું વેક્સિનેશન થઈ જવાની ધારણા છે. હેલ્થ કમિશનરે જણાવ્યું કે જિનોમ સિકવન્સિંગ ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવી રહ્યું છે. દરરોજ લગભગ 10 ટકા પોઝિટીવ સેમ્પલોનો અભ્યાસ કરાઈ રહ્યો છે. જિનોમ સિકવન્સિંગના નોડલ અધિકારી ડોક્ટર રવીએ જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ હવે ડેલ્ટા વેરિયન્ટ સુધી સીમિત રહ્યું છે અને તે હવે અસ્ત થઈ રહ્યું છે. વ્યાપક રસીકરણને કારણે કોરોના તાકાત ગુમાવી રહ્યો છે.