ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર ચાર ટેસ્ટ મેચોની સિરીઝની શરુઆત ચેન્નઈનાં એમએ ચિદંબરમ સ્ટેડિયમ ખાતે થી શરુ થવાની છે. બંને દેશો વચ્ચેની આગામી સિરીઝમાં કોઈ ન્યૂટ્રલ એમ્પાયર નહી હોય.
પ્રથમ ટેસ્ટમાં બે એમ્પાયર ડેબ્યૂ કરશે
ન્યૂટ્રલ એમ્પાયર નહીં હોય
ત્રણ એમ્પાયરને આઈપીએલનો અનુભવ
આઈસીસી માટે એલિટ પેનલ એમ્પાયર છે
નીતિન મેનન, અનિલ ચૌધરી અને વિરેન્દર શર્મા ચેન્નાઈ માં બે ટેસ્ટ મેચોમાં એમ્પાયરિંગ કરશે. મેનન આઈસીસી માટે એલિટ પેનલ એમ્પાયર છે જ્યારે ચૌધરી અને વિરેન્દર ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. કોરોના કાળમાં ટેસ્ટ મેચોમાં ઘરેલુ એમ્પાયરોને નિયુક્ત કરવાનો નિયમ પાંચ ફેબ્રુઆરીથી શરુ થનાર ભારત-ઈંગ્લેન્ડની સિરીઝમાં પણ લાગુ રહેશે. જેથી ભારતની ટીમને તેનો ફાયદો મળી શકે છે.
આઈસીસીની એલિટ પેનલમાં એકમાત્ર ભારતીય એમ્પાયર
ઈન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ચેન્નઈમાં યોજાનાર પહેલી બે ટેસ્ટ માટે અનિલ ચૌધરી અને વિરેન્દર શર્માને એમ્પાયરિંગ માટે નિયુક્ત કર્યાં છે. પહેલી ટેસ્ટ મેચ પાંચ ફેબ્રુઆરીએ યોજાશે અને બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીએ યોજાશે. આઈસીસીની એલીટ પેનલમાં મેનન એકમાત્ર ભારતીય એમ્પાયર છે અને તે ચોથી ટેસ્ટ મેચમાં એમ્પાયરિંગ કરશે જ્યારે ચૌધરી અને શર્મા માટે પહેલી ટેસ્ટ મેચ ડેબ્યુ રહેશે.
જવાગલ શ્રીનાથ રહેશે રેફરી
ચૌધરીને 20 વનડે અને 28 ટી-20 ઉપરાંત આઈપીએલમાં એમ્પાયરિંગ કરવાનો અનુભવ છે જ્યારે શર્માને બે વનડે અને એક ટી-20માં એમ્પાયરિંગ કરવાનો અનુભવ છે. ચૌધરી પહેલી ટેસ્ટમાં ઓન ફિલ્ડ એમ્પાયર રહેશે. જ્યારે બીજી ટેસ્ટમાં શર્મા ચૌધરીની જગ્યા લેશે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ ઈંગ્લેન્ડની પૂરી સિરીઝ દરમિયાન મેચ રેફરી રહેશે.