પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને કોચ જાવેદ મિયાંદાદએ પોતાના દેશના ક્રિકેટ બોર્ડથી નજીકના ભવિષ્યમાં ભારતની સાથે રમવાની વાતને ભૂલવા અને ગેમના ફ્રેમવર્કને સુધારવા પર ધ્યાન આપવાની વાત કરી છે. મિયાંદાદે કરાચીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયાની સાથે વાત કરતા કહ્યુ ''તેઓ અમારી સાથે રમવા નથી ઇચ્છતાતો એ જ થશે. જો અમે ભારત સાથે નહી રમીએ તો અમારું ક્રિકેટ પૂરું નહી થઇ જાય. અમારે આગળ વધવાનું છે અને તે માટે આ વિશે ભૂલી જવું જોઇએ.''
124 ટેસ્ટ મેચના અનુભવી રહેલા મિયાંદાદે આગળ કહ્યુ કે ''PCB ને દ્વિપક્ષીય સીરિઝની માટે ભારતની સાથે રમવા માટે BCCI પાસેથી ભીખ માંગવાની જરૂર નથી. તેમણે કહ્યુ છેલ્લા 10 વર્ષોથી અમારી સાથે નથી રમી રહ્યાતો શું થયું? શું અમારું ક્રિકેટનું સ્તર ઘટી ગયું છે? નાઅમે સારું કર્યુ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મેળવીને તેનું ઉદાહરણ આપી દીધું છે.''
આ સાથે જ તેમણે આગળ કહ્યુ કે ''પાકિસ્તાનમાં ક્રિકેટ પૂરું નહી થઇ શકે. ભારત અને પાકિસ્તાનને 2008 મુંબઇ આંતકી હુમલા પછી બંને દેશોની વચ્ચે રાજનીતિક તનાવને કારણે 2012 પછી દ્વિપક્ષીય ક્રિકેટ નથી રમવામાં આવ્યું.''