એનજીટી દ્વારા ગઠિત RO થી ટ્રીટેડ પાણીની ક્વોલિટીનું અધ્યયન કરનારી કમિટીએ જાણ્યું કે નગર નિગમ દ્વારા ઘરોમાં સપ્લાઇ થનાર પાણી માટે RO ટ્રીટમેન્ટની કોઇ જરૂર નથી. કમિટી પ્રમાણે RO ની જરૂરીયાત એ વિસ્તારમાં છે જ્યાં TDS નું સ્તર 500MG/I થી વધારે હોય.
હાલ મોટાભાગના લોકો RO દ્વારા ફિલ્ટર કરેલું પાણી જ પીવે છે. પરંતુ જો તમારા ઘરે નદી કે તળાવનું પાણી આવતું હોય તો તમારે RO દ્વારા ફિલ્ટર કરેલું પાણી પીવાની કોઇ જરૂર નથી અને જો છતા પણ તમે કોર્પોરેશન દ્વારા અપાતું પાણી RO ફિલ્ટર કરીને પીવો છો તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો. આ અમે નહીં પરંતુ એક્સપર્ટ કમિટી કહી રહી છે .જેને એનજીટીએ RO દ્વારા ફિલ્ટર પાણીની ક્વોલિટી, ફરી મિનરલ યુક્ત કરવાના વિકલ્પ અને પાણી બર્બાદીના મુદ્દા પર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એક્સપર્ટ કમિટીએ પોતાનો રિપોર્ટ NGTને સોંપી દીધો છે. એક્સપર્ટનો દાવો છે કે, નદી, તળાવોનું પાણી જેને નિગમ પાઇપ દ્વારા લોકોને સપ્લાય કરે છે તેને પીવા માટે RO દ્વારા ફિલ્ટર કરવાની કોઇ જરૂર નથી. ROની જરૂરત તે જ વિસ્તારોમાં પડે છે જ્યાં ટીડીએસ લેવલ 500 mg/lથી વધુ હોય.
ત્યારે શું RO દ્વારા ફિલ્ટર કરાયેલા પાણીમાં કેલ્શિયમ, મેગગ્નિશિયમ જેવા જરૂરી મિનરલને જાળવી રાખી શકાય છે. આવા સવાલ પર કમિટીએ કહ્યું કે, આ મુદ્દાને લઇ તમામ બાબતે અભ્યાસ કરવામાં આવ્યો છે. કેટલાકમાં ઓછા મિનરલવાળા પાણીમાં ટીડીએસ ઓછું હોય છે જેનાથી પાણી કડવું લાગે છે. ત્યારે ઓછા ટીડીએસવાળા RO દ્વારા ફિલ્ટર પાણીનો ઉપયોગ કરવાની પરવાનગી ન હોવી જોઇએ.
આ બાબતે એનજીટીએ સલાહ આપી છે કે, લોકોને પાણીના સ્ત્રોત અને ક્વોલિટી વિશે જાણ કરવામાં આવે અને એ પણ જાણ કરવું જરૂરી છે કે, જે પાણી પહોંચાડવામાં આવી રહ્યું તેમાં ટીડીએસ લેવલ કેટલું છે. RO બનાવતા સમયે એવી પણ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે જેનાથી પાણીની બરબાદી ઓછી થાય.