વેક્સિન બનાવતી કંપની Bharat Biotech દ્વારા બાળકોના વેકસીનેશનને લઈને મોટી જાહેરાત કરી છે જે તમામ વાલીઓએ જાણવી જરૂરી છે.
BHARAT BIOTECH ની જાહેરાત
બાળકોમાં Paracetamol આપવાની જરૂર નથી
થોડી સાઈડ ઇફેક્ટ્સ દેખાય તો શું કરશો?
દેશમાં તરૂણોનું વેક્સિનેશનની શરૂઆત થઇ છે. ત્યારે વેક્સિનેશનને લઇ ભારત બાયોટેકે નિવેદન આપ્યું છે.
ભારત બાયોટેક વેક્સિન બનાવતી ભારતીય કંપની છે. જે બાળકોને અપાઈ રહેલી કોવેક્સિન રસી બનાવે છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વેક્સિન બાદ તરૂણોને પેરાસિટામોલ કે દર્દ વિરોધી દવાની જરૂર નથી. મોટે ભાગે વેક્સિન લીધા બાદ PCM એટલે કે પેરાસીટામોલ ટેબલેટ આપવામાં આવે છે જેથી સામાન્ય તાવ અને સાઈડ ઇફેક્ટ્સમાં રાહત રહે પરંતુ બાળકોનું વેકસીનેશન શરૂ થયા બાદ ભારત બાયોટેક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તરુણોને આ ટેબ્લેટ્સ આપવાની કોઈ જરૂરિયાત નથી.
થોડી સાઈડ ઇફેક્ટ્સ તો દેખાશે
વેક્સિન લીધા બાદ તરૂણોમાં થોડી સાઇડ ઇફેક્ટ આવે છે. તાવ કે દુખાવો એક કે બે દિવસમાં મટી જાય છે. એક કે બે દિવસમાં તાવ દુખાવો મટતો હોવાથી દવાની જરૂર નથી રહેતી.
ભારત બાયોટેકને વેક્સિન બાદ ફીડબેક મળ્યો હતો કે વેક્સિન લીધા બાદ તરૂણોને 500 MGની પેરાસિટામોલ ગોળી આપવામાં આવે છે. પરંતુ પેરાસિટામોલ અથવા દુખાવાની દવા લેવાની જરૂર નથી. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે જંરલી બીજી વેક્સિનો સાથે દવાઓની જરૂર પડે છે પરંતુ કોવેક્સિન રસી સાથે દવાની જરૂર નથી પડતી.
લાલ નિશાન અને દુઃખાવો
હાથમાં જ્યાં વેક્સિન લગાવવામાં આવી હોય ત્યાં તરુણોમાં લાલ નિશાન જોવા મળી શકે છે અને સાથે દુઃખાવો પણ જોવા મળી શકે છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર, વેકસીનેશનનું લાલ નિશાન અને દુઃખાવો ઓછો થાય તે માટે વેકસીનેશન થયું હોય એ ભાગ પર ઠંડુ અને નરમ કપડું રાખી દેવું ફાયદાકારક છે.
થાક લાગવો અને શરીર તૂટે અથવા ચક્કર આવે
આ કિસ્સામાં ડરવાની જરૂર નથી પણ વધારે માત્રામાં લિક્વીડસ લેવા અને તેમ સોફ્ટ ડ્રિંક્સ નહીં પણ નારિયળ પાણી કે કોઈ નેચરલ જ્યુસ હોય તો સારું રહેશે. ભૂખ્યા પેટે બાળકને વેક્સિન લેવા ન લઈ જાઓ તો ચક્કર કે અશક્તિ પણ નહીં અનુભવાય.