અમદાવાદમાં ગુનાખોરી પર કાબુ લાવવા અને આરોપીને પલકવારમાં ઝડપી લેવા મેગા CCTV પ્રોજેક્ટ પોલીસનું આ ત્રીજું લોચન ગુનેગારોને પારખી લેશે
સ્માર્ટ સિટીની સુરક્ષામાં થશે વધારો
ત્રીજી આંખથી હવે દરેક ખુણે રહેશે નજર
3 હજાર CCTV લગાવવાનુ પ્લાનિંગ
અમદાવાદીઓની સુરક્ષા અંગે. કારણ કે, અપહરણ, ચોરી, અકસ્માત, લૂંટફાટ અને હત્યા જેવી અનેક ઘટનાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં વધી રહી છે. તેવામાં પોલીસ સામે ગુનેગારોને ઝડપવા સૌથી મોટો પડકાર બની જાય છે. હવે ગુનાખોરી પર લગામ કસવા અમદાવાદ શહેરને ત્રીજી આંખથી.એટલે કે, CCTVથી સજ્જ કરાશે. ત્યારે કેમ આ પ્રકારના નિર્ણયની તંત્રને જરૂર પડી..અને કેવા પ્રકારની વધશે સુરક્ષા તે જાણવું જરૂરી છે.
સ્માર્ટ શહેર-ગુનાખોરીમાં પણ આગળ
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ ગુનાગોરીના શહેર તરીકે પણ ઓળખાય છે. કારણ કે, અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.કેટલાક કિસ્સાઓમાં તો વર્ષો પછી પણ પોલીસને એવી કેટલીય કડીઓનો ભેદ નથી મળ્યો.પછી તે હત્યાનો કેસ હોય કે અપહરણનો તેવામાં હવે ગુનેગારોને ઝડપથી પકડી શકાય તે માટે શહેરમાં મેગા CCTV પ્રોજેકટ શરૂ કરાશે. વિશ્વાસ પ્રોજેકટ દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારમા CCTV લગાવવામા આવશે, હાલની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં નિર્ભયા પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 1487 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમ છતાં ગુનાખોરીનુ પ્રમાણ વધી રહ્યું છે. જેથી હવે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 3000થી વધુ CCTV કેમેરા લગાવવાનું પ્લાનિંગ કરાયું છે. જેમા એન્ટર અને એક્ઝીટ રસ્તાઓ તેમજ સંવેદશનશીલ વિસ્તારોને CCTV કેમેરાથી સજજ કરાશે. આ માટે હાલ તંત્ર દ્વારા સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
.અત્યાધુનિક કેમેરા રાખશે નજર
મહત્વનું છે કે, હાલની તારીખે શહેરમાં 1487 જેટલા CCTV હોવા છતાં પણ ચેન સ્નેચિંગ. લૂંટ અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આવા કિસ્સામાં CCTV આરોપીઓ સુધી પહોંચવાનું અગત્યનું પગેરું હોય છે. પરંતુ CCTVના અભાવે આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળતા મળે છે. અને તેને જ લઈને હવે અમદાવાદ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ ભીડભાડ વાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં સીસીટીવી લગાવાશે. જેમા ફીકસ કેમેરા, RLVD એટલે કે, રેડ લાઈટ વાઈલોસ ડીટેક્શન કેમેરા,AMPR એટલે કે, ઓટોમેટીક નંબર પ્લેટ રેકેટમીશન સીસ્ટમ કેમેરા, અને પીટીજેલ કેમેરા લગાવવામા આવશે.
પ્રોજેક્ટમાં આરંભે શૂરા ?
જોકે પોલીસ દ્વારા જે રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે રીતે આવનાર સમયમાં શહેરીજનોની સુરક્ષા મજબૂત બની શકે છે. અને અપહરણ, બળાત્કાર, લૂંટ, ચોરી, અકસ્માત અને હત્યા જેવા ગંભીર ગુનાઓ પણ અટકી શકે છે.પરંતુ વધતા ગુનાખોરીના આંકડા વચ્ચે પોલીસની ત્રીજી આંખ તરીકે ઓળખાતા CCTV અંગેનો આ પ્રોજેકટ સફળ થાય છે કે પછી અન્ય પ્રોજેકટની જેમ બાળ મરણ થાય છે તે મોટો સવાલ છે..