હરિયાણાના ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ વિરોધ દરમિયાન કરનાલમાં સીએમ મનોહર લાલ ખટ્ટરના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે.
બંને રાજ્યોના ખેડૂતો ડાંગરની ખરીદી તારીખ લંબાવવાથી નારાજ
ખેડૂતોએ સરકારના તમામ મંત્રીઓનો પણ ઘેરાવ કરશે
ડાંગરની ખરીદીમાં મોડું કરશે તેમને ભારે નુક્સાન થશે
ખેડૂતો ડાંગરની ખરીદીની તારીખ લંબાવવાથી નારાજ છે
છેલ્લા 10 મહિનાથી ધરણા પર બેઠેલા પંજાબ હરિયાણાના ખેડૂતો આજે રસ્તા પર ઉતરવાના છે. બંને રાજ્યોના ખેડૂતો ડાંગરની ખરીદી તારીખ લંબાવવાથી નારાજ છે. ખેડૂત સંગઠનો આજે હરિયાણા અને પંજાબમાં વિરોધ પ્રદર્શન કરશે. હરિયાણાના ખેડૂતોએ જાહેરત કરી છે કે, તેઓ વિરોધ દરમિયાન કરનાલમાં સીએમ મનોહરલાલ ખટ્ટરના નિવાસ સ્થાનનો ધેરાવ કરશે.
ખેડૂતોએ સરકારના તમામ મંત્રીઓનો પણ ઘેરાવ કરવાની જાહેરત કરી
ખેડૂતોએ હરિયાણા સરકારના તમામ મંત્રીઓ અને ભાજપના સાંસદોને ઘેરાવ કરવાની પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં ખેડૂતોનો વિરોધ શુક્રવારથી ચાલી રહ્યો છે, પરંતુ આજે ખેડૂતોની જાહેરાતને જોતા ભારે હંગામો થવાની સંભાવના છે.
ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારનો નિર્ણય છે
ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારનો નિર્ણય છે જેમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે હરિયાણા અને પંજાબ સરકારોને અત્યારે ડાંગરની ખરીદી અટકાવવા માટે કહેવામાં આવ્યું છે. આ નિર્ણય મુજબ ભારે વરસાદને કારણે ડાંગરમાં ભેજ છે, તેથી 11 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી શરૂ કરવી જોઈએ. હરિયાણામાં ડાંગરની ખરીદી 25 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જ્યારે પંજાબમાં 1 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી શરૂ થાય છે. સાથે જ ખેડૂતોનું કહેવું છે કે તાત્કાલિક ડાંગરની ખરીદી શરૂ કરવી જોઈએ.
ખેડૂતો કહ્યું કે ડાંગરની ખરીદીમાં મોડું કરશે તેમને ભારે નુક્સાન થશે
ખેડૂતોનું કહેવું છે કે ભારે વરસાદને કારણે તેમના પાકને નુકસાન થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ડાંગરની ખરીદીની તારીખ લંબાવવાના કારણે તેમનું નુકસાન બમણું થઈ શકે છે.