ભારતની રાજધાની દિલ્હીમાં આયોજિત થવા જઇ રહેલું 'નો મની ફોર ટેરર' અંગે મહત્વની માહિતી સામે આવી છે. NIAનાં મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ માહિતી આપી છે કે 18-19 નવેમ્બરનાં થવા જઇ રહેલ આ સમ્મેલનનાં ત્રીજાં સંસ્કરણમાં 78 દેશો હાજરી આપવાનાં છે.
કાલથી દિલ્હીમાં 'નો મની ફોર ટેરર' કોન્ફરન્સની શરૂઆત
સમ્મેલનમાં પાકિસ્તાન 78 દેશો હાજર રહેશે
NIAનાં મહાનિર્દેશકએ આપી માહિતી
વૈશ્વિક આતંકની સમસ્યાઓની સામે લડત આપવા માટે ભારત એક મોટું પગલું ભરવા જઇ રહ્યું છે. આતંકવાદને મળી રહેલ વિદેશ ફંડીગ પર રોક લગાવવા અને આતંકવાદનો સફાયો કરવા માટે આવતીકાલથી 2 દિવસ એટલે કે 18-19 નવેમ્બરનાં રોજ ભારતની રાજધાની દિલ્લીમાં 'નો મની ફોર ટેરર' સંમેલન યોજાવા જઇ રહ્યું છે.
18-19 नवंबर को राष्ट्रीय राजधानी में आयोजित हो रहे 'नो मनी फॉर टेरर' सम्मेलन के तीसरे संस्करण में 78 देश और बहुपक्षीय संगठन हिस्सा ले रहे हैं। PM मोदी सम्मेलन का उद्घाटन करेंगे। इस सम्मेलन को विभिन्न विषयों पर 4 सत्रों में विभाजित किया गया है: दिनकर गुप्ता, महानिदेशक, NIA pic.twitter.com/TSs1VPYm84
સંમેલનમાં 78 દેશોની હાજરી
18-19 નવેમ્બરનાં દિલ્લીમાં યોજાઇ રહેલ નો મની ફોર ટેરર' સંમેલનનાં ત્રીજાં સંસ્કરણમાં 78 દેશો અને બહુપક્ષીય સંગઠન જોડાવાનાં છે. આ સમગ્ર કાર્યક્રમની માહિતી NIA એટલે કે નેશનલ ઇન્વેસિટિગેટિવ એજન્સીનાં મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ આપી છે. આ 78 દેશોમાં પાકિસ્તાને પાછીપાની કરી છે.
પીએમ મોદીના હાથે શુભ શરૂઆત
દિનકર ગુપ્તાએ જણાવ્યું કે આતંકવાદ વિરોધનાં આ કાર્યક્રમનું ઉદ્ગાટન દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવશે. આ સમ્મેલનને વિવિધ વિષયો પર 4 સત્રોમાં વિભાજિત કરવામાં આવેલ છે. જેમાં આ બાબત પર જરૂરી ચર્ચા અને પગલાંઓ લેવામાં આવશે.