જો કોઈ એપ્રિલ ફૂલની અફવા, ખોટા મેસેજ અથવા લોકોમાં ભય ઉભો કરનારી કોઇ વાત કરશે, તો તેની સામે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે આ ચેતવણી આપી હતી.
આવતીકાલે 1 એપ્રિલ
મહારાષ્ટ્ર સરકારની ચેતવણી
ખોટા અને ભડકાઉ મેસેજ મોકલનાર સામે થશે કાર્યવાહી
મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર પોલીસ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નજર રાખશે. સોમવારે મુંબઈ પોલીસે એક જૂથમાં વોટ્સએપ પર બનાવટી સંદેશો મૂકનારા એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ શખ્સે માહિતી શેર કરી હતી કે, મુંબઈમાં સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રીનું નિવેદન
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, દર વર્ષે 1 એપ્રિલે લોકો મિત્રો અને સબંધીઓ સાથે પ્રેન્ક કરે છે. આ વર્ષે કરવાનું ટાળો. મહારાષ્ટ્ર સહિત આખો દેશ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યો છે. એપ્રિલ ફૂલના નામે ખોટા સંદેશા, અફવાઓ લોકોમાં ભયની સ્થિતિ થઇ શકે છે. તેથી, આ પ્રકારની હરકત થવી જોઈએ નહીં. જો કોઈ આ કરે તો પોલીસ તેની સામે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરશે. આવી સ્થિતિમાં હું દરેકને સહકાર આપવા અપીલ કરું છું. '
એક વ્યક્તિની મુંબઇ પોલીસે કરી ધરપકડ
સોમવારે મુંબઇ પોલીસે સોહેલ નામના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. તેના પર મુંબઇ એકતા વોટ્સએપ ગ્રુપમાં અફવા ફેલાવવાનો આરોપ છે. બનાવટી મેસેજમાં લખ્યું હતું કે, "મુંબઈના નલ બજાર, ભીંડી બજાર, ડુંગરી, મદનપુરા, કલાપાણી, સાત રસ્તા વિસ્તારની પરિસ્થિતિ બેકાબૂ છે, તેથી સેનાને બોલાવવામાં આવી છે." અને તે ટોળાને કાબૂમાં લેવા બળજબરી, લાઠીચાર્જ અને ફાયરિંગનો આશરો લેવાશે. "
પોલીસે નોંધ્યો ગુનો
સોહેલ સલીમ પંજાબી નામના આ વ્યક્તિને શોધી કાઢવામં આવ્યો આવ્યો અને તેની વિરૂદ્ધ આઇપીસીની 188,505(1), 269 તથા ડીએમ એક્ટની કલમ 54,56 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.