વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 13 સીઝન શરૂ થવાની ઘણી ઓછી સંભાવના છે. આ મામલે બીસીસીઆઈ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી, પરંતુ રવિવારે 100થી વધુ કેસ બાદ કોરોનાનું જોખમ વધુ વધી ગયું છે.
કોરોના કહેરથી રમત જગત થંભી ગયું છે
બીસીસીઆઈ IPLને લઈને કોઈ નવી જાહેરાત કરી નથી
હવે એ જોવાનું રહ્યું કે આઈપીએલ 13 ક્યારે શરૂ થશે
બીસીસીઆઈએ ટૂર્નામેન્ટને 29 માર્ચથી 15 એપ્રિલ સુધી લંબાવી છે. ત્યારે આવી સ્થિતિમાં હવે ફક્ત 15 દિવસ જ બાકી છે, ત્યારે હજી સુધી કોરોના સંકટમાંથી દેશને ઉગારવામાં સમય લાગી શકે છે. જેથી હવે આ સીધન કેન્સલ થવાની સંપૂર્ણ સંભાવના છે. આઈપીએલની આ સીઝનને જોતા ન તો ગવર્નિંગ કાઉન્સિલની કોઈ મીટિંગ થઈ છે અને ન તો કોઈ ઓફિશિયલ જાહેરાક કરવામાં આવી છે.
ભારતમાં 21 દિવસના લોકડાઉન હોવાથી 14 એપ્રિલ સુધી કોઈ કામ થઈ શકશે નહીં. આવી સ્થિતિમાં, વિઝા પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈ પણ વિદેશી ખેલાડી કે કોઈ કોચ ભારત આવી શકે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કહે છે કે, જો 15 એપ્રિલના રોજ લોકડાઉન સમાપ્ત થશે તો એ જોવાનું રહેશે કે ખેલાડીઓને વિઝા ક્યારે આપવામાં આવે છે.
જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ત્યાં 6 મહિના માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે 62 ખેલાડીઓ કે જેઓ આઈપીએલમાં ભાગ લેવા જઇ રહ્યા હતા અને હવે તે ભારત આવી શકશે નહીં.