LAC સીમા વિવાદને લઇને બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે કોઇ છંછેડશે તો ભારત ભારત છોડશે નહીં, દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા, સ્થિતિ નહીં સુધરે તો સૈનિકોની તૈનાતી વધારાશે.
પાકિસ્તાનની અવળચંડાઇ પર રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે, ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે ચીન સાથે હાલ વાતચીત ચાલુ છે, જલ્દી જ સૈન્ય લેવલની એક વધુ ચર્ચા થવા જઇ રહી છે. ભારત ચીનની સ્થિતિ પર રાજનાથસિંહે નિવેદન આપતાં કહ્યું કે ચીન સાથે ભારતની વાતચીત નિષ્ફળ રહી છે,દેશની જમીન પર કોઇને કબ્જો નહી કરવા દઇએ.
રાજનાથસિંહે કહ્યું કે ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી LAC વિવાદ છે, એવા સારુ હોતું આ વિવાદનો પહેલા ઉકેલ આવી ગયો હતો તો, જો આ પુરો થઇ ગયો હોત તો આજે આ સ્થિતિ ના હોત.
રક્ષામંત્રી રાજનાથસિંહે દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું કે જવાનો શિશ ઝુકવા નહીં દે. દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ચીને ઝડપી ઇન્ફ્રાસ્ટ્રકચર વધાર્યું છે. ભારતે પોતાના જવાનોની સુવિધા વધારવા ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કર્યો છે.
ભારત અને ચીન વચ્ચે અંદાજે એપ્રિલ મહિનાથી લદ્દાખ સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. બંને દેશની સેના મોટી સંખ્યામાં સરહદ પર તૈનાત છે, અત્યાર સુધીમાં ઘણા બધા તબક્કાની વાતચીત થઇ ચૂકી છે પરંતુ હજુ સુધી કોઇ પરિણામ સામે આવ્યું નથી.
ખેડૂત આંદોલન પર શું કહ્યું રાજનાથસિંહે?
કૃષિ કાયદાને લઇને સતત કોંગ્રેસ કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. એવામા રાજનાથસિંહે પલટવાર કરતા કહ્યું કે તેઓ એક ખેડૂત પરિવારમાં જન્મ લીધો છે, આવામાં તેઓ રાહુલ ગાંધી કરતા વધારે ખેતી અંગે જાણે છે. કૃષિ કાયદાઓ ખેડૂતોના હિત માટે લાવવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતો પર ખાલિસ્તાની સમર્થન હોવાનો આરોપ લાગવા પર રાજનાથસિંહે કહ્યું કે ખેડૂતો પરઆ પ્રકારનો આરોપ ન લાગવો જોઇએ. અમે ખેડૂતોનું સમ્માન કરીએ છીએ, તે આપણા અન્નદાતા છે.
રાજનાથસિંહે કહ્યું કે સરકાર ખેડૂતોની સાથે કૃષિ કાયદાના દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, નવા કાયદો ખેડૂતોની ભલાઇ માટે છે. જો કોઇને કોઇ મુશ્કેલી છે તો સરકાર ચર્ચા કરવા તૈયાર છે.