મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે આજે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. શિવસેના, એનસીપી અનો કૉંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. શિવસેના તરફથી કપિલ સિબ્બલ, એનસીપી તરફથી અભિષેક મનુ સિંધવી તો બીજેપી તરફથી મુકુલ રોહતગીએ દલીલો કરી હતી. અને સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે અને આ મામલે સોમવારે સવારે 10.30 વાગે ફરીથી સુનાવણી થશે.
કોર્ટમાં દલીલ કરતા શિવસેના તરફથી જણાવવામાં આવ્યું હતું કે, જો અમને મોકો મળે તો અમે આવતીકાલે જ બહુમતિ સાબિત કરી શકીએ છીએ. જ્યારે સરકાર વતી સોલિસિટીર જનરલે એવી દલીલ કરી હતી કે રાજકીય પક્ષોએ સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાને બદલે પહેલા હાઇકોર્ટમાં અરજી કરવી જોઇએ. ફક્ત સામાન્ય જનતા જ મૌલિક અધિકારોના હનન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે, રાજકીય પાર્ટી નહીં. જો કે આ મામલે વરીષ્ઠ વકીલે જણાવ્યું હતું કે, રાજ્યપાલના નિર્ણયને અયોગ્ય કહી શકાય પરંતુ ખોટો તો ના જ ગણાવી શકાય
રાજ્યપાલને સોંપાયેલ ચિઠ્ઠીને લઇ ચર્ચા
જ્યારે મુકુલ રોહતગીએ બીજેપી તરફથી દલીલ કરતા કહ્યુ કે, રવિવારે શા માટે સુનાવણી થઈ રહી છે. આટલી ઉતાવળ શું છે. સાથે જ તેમણે દલીલ કરી કે બીજા પક્ષને સાંભળ્યા વગર કોઈ નિર્ણય લેવામાં ન આવે. સુપ્રીમ કોર્ટમાં એનસીપી તરફથી દલીલ કરતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, કઇ ચીઠ્ઠી રાજ્યપાલને સોંપવામાં આવી. રાજ્યપાલે તાત્કાલિક કેમ શપથ લેવડાવ્યા? સરકારે તમામ ધારાસભ્યોની પરેડ કરાવવાની જરૂર હતી.
રાજ્યપાલ પાસે 2 દસ્તાવેજની સુપ્રીમ કોર્ટે કરી માગણી
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસેથી ખાસ બે કાગળ રજૂ કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને જણાવ્યું રાજ્યપાલ પાસે ફડણવીસે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો તે અંગેનો એક પત્ર તથા રાજ્યપાલે ફડણવીસના દાવા બાદ સરકાર રચવા માટે આપેલ ચિઠ્ઠી સોમવારે સવારે કોર્ટમાં રજૂ કરે.
બંધારણની કલમ 360 અને 361 માં રાજ્યપાલના અધિકારનો કરાયો છે ઉલ્લેખ
મુકુલ રોહતગીએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટને અપીલ કરી રહ્યા છે કે રાજ્યપાલ ખોટા છે તેવો આદેશ પાસ કરે. રાજ્યપાલનો નિર્ણય સમીક્ષાની બહારનો છે. રોહતગીએ કહ્યું કે અહીં ભાજપ અને કેટલાક અપક્ષો છે જે પાર્ટી નથી. પરંતુ તેમાં હોદ્દેદારો છે. બંધારણની કલમ 361 માં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના અધિકારોની વિગત છે.
PM મોદીની વિશેષ મંજૂરી સાથે હટ્યું રાષ્ટ્રપતિ શાસન
સરકારની રચનાને લઇને ચાલેલ દલીલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ મંજૂરી સાથે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું. ત્યારબાદ રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. શપથ સમારોહ સવારે 7.50 વાગ્યે થયો - શરદ પવારના ભત્રીજા અજિત પવારે શ્રી ફડણવીસના નાયબ તરીકે શપથ લીધા.
ફડણવીસનો સમર્થન પત્ર રેકોર્ડ પર નથી
મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની સૂચના હેઠળ કેસની સુનાવણી કરતી ખંડપીઠના ભાગના ન્યાયમૂર્તિ અશોક ભૂષણે જ્યારે પૂછ્યું કે શ્રી ફડણવીસે સમર્થન પત્ર ક્યારે રજૂ કર્યો છે, ત્યારે સિબ્બલે જવાબ આપ્યો હતો કે તે રેકોર્ડ પર નથી.
રાજ્યપાલ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી શક્ય નથી
ભાજપના ધારાસભ્યો અને બે અપક્ષોની રજૂઆત કરતાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ દાવો કર્યો હતો કે રાજ્યપાલનો નિર્ણય ન્યાયિક સમીક્ષાને આધિન ન હોઈ શકે. "રાજ્યપાલ તેમના એક્શન માટે જવાબદાર નથી ... રાજ્યપાલ કલમ 361 હેઠળ મુક્ત છે. રાજ્યપાલ સામેની કોઈપણ કાર્યવાહી શક્ય નથી.
ભાજપે માગ્યો વધારે સમય
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર મુદ્દે સોમવારની સવારે 10.30 કલાક સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે, તેની સામે ભાજપ દ્વારા વધારે સમયની માગણી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ભાજપના વધારે સમયની માગને ફગાવી હતી.