મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જોઇને મહાક્લેશ્વર મંદિરના પ્રશાસન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરમાં બીજા રાજ્યમાંથી આવનારા શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. મંદિર પરિસરમાં ફક્ત મધ્ય પ્રદેશના શ્રદ્ધાળુઓને જ ભગવાન મહાકાલના દર્શન કરવા દેવામાં આવશે.
મહાકાલના દર્શન પર કોરોનાનું ગ્રહણ
બીજા રાજ્યોના શ્રદ્ધાળુઓને નો એન્ટ્રી
ઉજ્જૈનમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ
મંદિર પ્રશાસને આ નિર્ણય શનિવાર રાત્રે કર્યો હતો. નિર્ણયના પાછળ કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારા નું કારણ જણાવવામાં આવ્યું છે.મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉજ્જૈનથી પરત ફર્યાની થોડી સમયમાંજ રાજ્ય શાશનના આદેશથી સમિતિના અશાસ્કીય સદસ્ય પંડિત આશિષ ગુરુ, દીપક મિતલ અને વિજય શર્માને હટાવ્યા હતાં. મુખ્યમંત્રી કોરોના સમિક્ષ બેઠક માટે ઉજ્જૈન પહોચ્યા હતા.એમને મહાકાલેશ્વરના દર્શન પણ કર્યા હતા.
કોરોના વાઇરસને પગલે લોકડાઉન લાગુ કર્યા બાદ ૨૧ માર્ચે મંદિરને ભક્તો માટે બંદ કરવામાં આવ્યું હતું. ૭૮ દિવસ સુધી બંધ રાખ્યાં પછી ૮ જૂનના રોજ મંદિરને ફીથી ખોલવામાં આવ્યું. મંદિર પ્રશાસનના નવા આદેશ પ્રમાણે મંદિર બંદ નાઠું કરવાના પરંતુ બહારના રાજ્યોના શ્રદ્ધાળુઓ પર રોક લગાવવામાં આવી છે.
ઉજ્જૈન કોરોના વાઇરસના સંક્ર્મણના મામલામાં પ્રદેશમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે. જીલ્લામાં અત્યાર સુધી કુલ ૯૪૨ સંક્રમિત લોકો મળી ચુક્યા છે જયારે 71 લોકોની મૃત્યુ થઈ ચુકી છે. જીલ્લામાં ૭૯૮ લોકો સંક્રમણ થયા બાદ રીકવર પણ થઈ ચુક્યા છે.