એમપીની ધરતી પર નહીં ચાલે લવ જેહાદ
શ્રદ્ધા હત્યાની ઘટનાનું ઉદાહરણ આપતાં શિવરાજે કહ્યું કે હું મધ્યપ્રદેશની ધરતી પર લવ-જેહાદનો ખેલ કોઈ પણ ભોગે નહીં ચાલવા દઉં. અમે કોઈ પણ અમારા બાળકોને છેતરે, લગ્ન કરે અને તેમના 35 ટુકડા કરી નાખે તે સહન નહીં કરીએ.
#WATCH | Some people from other religions, if they can't buy tribal land, they marry the daughter of a tribal family just to buy land. This is not love, it is 'jihad' in the name of love, and I will not allow this game of 'love jihad' in Madhya Pradesh at any cost: CM SS Chouhan pic.twitter.com/kAIBeEEjuV
જરુર પડે લવ જેહાદનો કડક કાયદો
શિવરાજે કહ્યું કે જરૂર પડશે તો લવ-જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવશે. આ સાથે જ સીએમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમીન પચાવી પાડવા માટે કોઈ આદિવાસી મહિલા સાથે લગ્ન ન કરી શકે.
એક દેશમાં બે કાયદા શા માટે?
નોંધપાત્ર વાત એ છે કે, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ લવ જેહાદ અને સમાન નાગરિક સંહિતા લાવવાની તરફેણમાં છે. તાજેતરમાં તેમણે બડવાનીમાં કહ્યું હતું કે હું એ હકીકતની તરફેણમાં છું કે હવે સમય આવી ગયો છે કે ભારત માટે સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ." શા માટે એકથી વધુ સાથે લગ્ન કરવા? એક દેશમાં બે કાયદા શા માટે હોવા જોઈએ? નિયમો સરખા હોવા જોઈએ. જો યુનિફોર્મ સિવિલ કોડમાં પત્ની રાખવાનો અધિકાર હોય તો દરેક માટે એક જ પત્ની હોવી જોઈએ.
દરેક માટે એક જ પત્નીનો નિયમ હોવો જોઈએ
શિવરાજે કહ્યં કે મધ્યપ્રદેશમાં પણ હું એક સમિતિની રચના કરી રહ્યો છું. જો યુનિફોર્મ સિવિલ કોડમાં પત્ની રાખવાનો અધિકાર હોય તો દરેક માટે માત્ર એક જ પત્ની હોવી જોઈએ.
ગુજરાત અને ઉત્તરાખંડમાં કમિટીની જાહેરાત
ઉલ્લેખનીય છે ભાજપ શાસિત ગુજરાત અને ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટી બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે.