મજૂરોથી જોડાયેલા ત્રણ શ્રમ સુધાર બિલ બુધવારે (23 સપ્ટેમ્બર) સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા છે. લોકસભામાં બિલ પસાર કર્યા પછી, રાજ્યસભાએ બુધવારે લાઈવલીહૂડ સુરક્ષા, સ્વાસ્થ્ય કાર્યકારી સંહિતા 2020 અને સામાજિક સપક્ષા સંહિતા 2020ને વિપક્ષ દ્વારા બોયકોટ કરવા છતાં પસાર કરી દેવામાં આવ્યા છે. સંસદથી મંજૂરી મળ્યા બાદ હવે ગ્રેજ્યુટી લેવા માટે 5 વર્ષની સીમા પણ ખતમ થઈ ગઈ.
સંસદમાં ત્રણ શ્રમ બિલ પસાર થઈ ગયા છે
ગ્રેજ્યુટી લેવા માટે 5 વર્ષની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ
કોન્ટ્રેક્ટ પર નોકરી કરનારા કર્મચારીઓને પણ ગ્રેજ્યુટીનો લાભ મળશે
અગાઉ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને ગ્રેચ્યુટીના હકદાર બનવા માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ સુધી તે જ કંપનીમાં કામ કરવાનું ચાલુ રાખવું જરૂરી હતું. જ્યારે તે પાંચ વર્ષ પહેલાં નોકરી છોડવા પર અથવા નોકરીમાંથી કાઢી મૂકવા પર ગ્રેજ્યુટીનો લાભ મળતો નહોતો. પરંતુ હવે પાંચ વર્ષ નહીં પણ એક વર્ષ કામ કર્યા પછી તમને ગ્રેચ્યુટી મળશે, એટલે કે, દર વર્ષે ગ્રેચ્યુટી મળશે.
એટલું જ નહીં જે લોકોને ફિક્સ્ડ ટર્મ એટલે કે કોન્ટ્રાક્ટના આધારે નોકરી મળશે. તેમને એટલા દિવસ પ્રમાણે ગ્રેજ્યુટી આપવી પડશે. કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા કર્મચારી પણ ગ્રેજ્યુટીનો લાભ લઈ શકશે. કોન્ટ્રાક્ટ ગમે એટલા દિવસનો હોય કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે. તેની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે.
શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું કે, મજૂર સુધારાનો ઉદ્દેશ બદલાતા વ્યવસાયિક વાતાવરણને અનુકૂળ પારદર્શક સિસ્ટમ બનાવવાનો છે. તેમણે કહ્યું કે આ બિલ કર્મચારીઓના હિતોનું રક્ષણ કરશે અને પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન અને કર્મચારીઓની રાજ્ય નિગમનો અવકાશ વધારીને કામદારોને વૈશ્વિક સામાજિક સુરક્ષા પૂરી પાડશે. સરકારે 29થી વધુ મજૂર કાયદાને ચાર કોડમાં મર્જ કરી દીધા હતા અને તેમાંથી એક (વેતન કોડ બિલ, 2019) પસાર થઈ ચૂક્યું છે.