દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને એવું જણાવ્યું કે દિલ્હીમાં કેસ વધી રહ્યાં છે અને પોઝિટિવીટી રેટ પણ 8.5 ટકા છે તેમ છતાં પણ સરકારનો લોકડાઉનનો કોઈ વિચાર નથી.
દિલ્હીના હેલ્થ મિનિસ્ટરે લોકડાઉનનો કર્યો ઈન્કાર
પોઝિટિવીટી રેટ પણ 8.5 ટકા
સરકારનો લોકડાઉન લગાડવાનો કોઈ વિચાર નથી
રાજધાની દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના કેસને અટકાવવા માટે કેજરીવાલ સરકારે વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી છે પરંતુ હવે ફૂલ લોકડાઉનની ચર્ચા ચાલી રહી છે લોકોના મનમાં પણ સવાલ છે કે શું દિલ્હીમાં ફૂલ લોકડાઉન લાગુ પાડી દેવામાં આવશે. ત્યારે હવે આ બાબતે દિલ્હીના હેલ્થ મિનિસ્ટરે સ્પસ્ટતા કરી છે. સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે દિલ્હીમાં ફુલ લોકડાઉનનો કોઈ સવાલ નથી. દૈનિક કેસમાં વધારો આવી રહ્યો છે.
Today, Delhi is expected to report 5500 COVID cases, with the positivity rate rising to 8.5%: Delhi Health Minister Satyender Jain pic.twitter.com/ECg78sMwDu
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. દિલ્હીમાં શનિ-રવિ વિકેન્ડ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે અને સાથે ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે. આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીમાં મેટ્રો અને બસો પૂરી ક્ષમતા સાથે ચાલુ રહેશે તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા કરવામાં આવી હતી.
દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન-મુંબઈના મેયરની સ્પસ્ટતા
મુંબઈમાં પણ કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે અને હવે લોકડાઉનની ચર્ચા છે ત્યારે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે સ્પસ્ટ કરી દીધું છે કે જો મુંબઈમાં દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન લાગુ પાડી દઈશુ.