મહારાષ્ટ્રમાં એપ્રિલ 2015થી માર્ચ 2019ની વચ્ચે 2 લાખ રૂપિયાથી વધારેનું દેવું ધરાવનારા ખેડૂતોને માફીના દાયરામાં રાખવામાં આવશે નહીં. ગયા અઠવાડિયે જ સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીને લઈને જાહેરાત કરી હતી.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવાને લઈને કરી જાહેરાત
ખેડૂતો પર કર્યો વિશ્વાસઘાતનો આરોપ
2 લાખથી વધારે દેવું ધરાવતા ખેડૂતોને નહીં મળે માફી
શનિવારે જાહેર કરેલા સરકારના પ્રસ્તાવ (જીઆર) માં જણાવાયું છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે કિસાન દેવા માફી યોજના દરમિયાન 1 એપ્રિલ, 2015 થી 31 માર્ચ, 2019 દરમિયાન લેવામાં આવેલી બે લાખ સુધીની લોન, જે 30 સપ્ટેમ્બર, 2019 સુધીમાં ચૂકવવામાં આવી નથી, તેને માફ કરવામાં આવશે. બે લાખથી વધુ લોન ધરાવતા લોકો આ યોજના હેઠળ આવશે નહીં.
અજિત નવલેએ ઉદ્ધવ સરકાર પર ખેડૂતો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો
પ્રસ્તાવમાં જણાવાયું છે કે રાષ્ટ્રીયકૃત, જિલ્લા સહકારી બેંકો અને સહકારી મંડળની લોન માફી માટે વિચારણા કરવામાં આવશે. જે લોકો બિન-કૃષિ ક્ષેત્ર, પેન્શન અને જેની માસિક આવક 25 હજાર રૂપિયાથી વધુની આવક પર વેરો ભરશે તેમને યોજનાનો લાભ મળશે નહીં. દરમિયાન ખેડૂત નેતા અજિત નવલેએ ઉદ્ધવ સરકાર પર ખેડૂતો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મોટાભાગના ખેડુતોને યોજનાનો લાભ નહીં મળે કારણ કે તેમનું દેવું બે લાખથી વધુ છે. અગાઉ સરકારે કહ્યું હતું કે દેવું માફી બિનશરતી હશે.
યોજનાને લઈને ઉઠાવ્યા પ્રશ્નો
કોંગ્રેસ- એનસીપીના સહયોગી સ્વાભિમાન પક્ષના નેતા રાજૂ શેટ્ટીએ કહ્યું કે ખેડૂતોને કોઈ પણ શરત વિના દેવા માફીનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ બે લાખની શરત બાદ મોટાભાગના ખેડૂતોને આનો લાભ મળી શકશે નહીં. ભાજપ નેતા અને પૂર્વ મંત્રી સુધીર મુનગંટીવારે પણ સરકાર પર ખેડૂતોની સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. એનસીપી નેતા અને મંત્રી જયંત પાટિલે કહ્યું કે સરકાર દરેક ખેડૂતોને રાહત આપવાનો પ્રયત્ન કરી રહી છે.