લોન વસૂલવા માટે મોડી રાતે આવતા કે ગાળાગાળી કરતા રિકવરી એજન્ટોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ મોટી ચેતવણી આપી છે.
લોન રિકવરી એજન્ટસ પર આવી RBIની તવાઈ
પાંચ મુદ્દાની બહાર પાડી ગાઈડલાઈન્સ
લોન વસૂલવા મોડી રાતે ગ્રાહકને ફોન નહીં કરી શકાય
મોડી રાતે ગ્રાહકોના ઘેર પણ નહીં જઈ શકાય
ગ્રાહકો સાથે ગાળાગાળી કે તેમને ધાક-ધમકી નહીં આપી શકાય
લોન રિકવરી એજન્ટો લોન વસૂલવા માટે ગ્રાહકો સાથે હદ વટાવી જતા હોય છે અને તેમને ગમે ત્યારે હેરાન પરેશાન કરતા હોય છે અને તેમની સાથે ગાળાગાળી કે અભદ્ર વર્તન કરતા હોય છે. આવી ફરિયાદની આરબીઆઈએ ગંભીર નોંધ લીધી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગર્વનર શક્તિકાંત દાસે આપી ચેતવણી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગર્વનર શક્તિકાંત દાસે એવું જણાવ્યું કે લોન રિકવરી એજન્ટોની ખરાબ ભાષા કે લોન વસૂલવા માટે મોડી રાતે ગ્રાહકોને હેરાન પરેશાન કરવા તે ઘટના અસ્વીકાર્ય છે અને તે ચલાવી નહીં લેવામાં આવે.
લોન રિકવરી એજન્ટો માટે પાંચ પોઈન્ટની ગાઈડલાઈન્સ
(1) આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે ગ્રાહક સેવાના સંદર્ભમાં, અન્ય એક ક્ષેત્ર જે આરબીઆઈનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે તે છે કેટલાક લેન્ડર્સ (પૈસા ધીરનાર) દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લોન રિકવરીની આકરી પદ્ધતિઓ, લેન્ડર્સ તેમના રિકવરી એજન્ટોને મનફાવે તેવો છૂટો દોર આપી રહ્યાં છે.
(2) દાસે કહ્યું કે અમને ફરિયાદો મળી છે કે ગ્રાહકોનો સંપર્ક રિકવરી એજન્ટો દ્વારા વિચિત્ર સમયે, મધ્યરાત્રિએ પણ કરવામાં આવી રહ્યો છે. રિકવરી એજન્ટોએ ખોટી ભાષાનો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદો પણ છે. રિકવરી એજન્ટો દ્વારા આ પ્રકારની કાર્યવાહી અસ્વીકાર્ય છે અને નાણાકીય સંસ્થાઓ માટે પોતાને પ્રતિષ્ઠાનું જોખમ ઉભું કરે છે, "તેમણે જણાવ્યું હતું.
(3) અમે આવા કિસ્સાઓની ગંભીર નોંધ લીધી છે અને નિયંત્રિત સંસ્થાઓ સાથે સંકળાયેલા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં અચકાશું નહીં. અનિયંત્રિત સંસ્થાઓ સામેની આવી ફરિયાદોને યોગ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સમક્ષ હાથ ધરવી પડશે.
(4) આરબીઆઈ નિયંત્રિત એકમોના સંદર્ભમાં આ મુદ્દાને ગંભીરતાથી ઉકેલશે, જ્યારે જો અમને અનિયંત્રિત કંપનીઓ અંગેની ફરિયાદો મળશે તો અમે તેને કાયદા અમલીકરણ એજન્સીઓને આપીશું. જો કે, અમે આવી ફરિયાદો સામે કડક કાર્યવાહી કરતા અચકાઈશું નહીં.
(5) દાસે કહ્યું કે બેંકોને આ પ્રકારની કાર્યવાહી અંગે કડક સૂચના અપાઈ રહી છે. અમે તમામ ધિરાણકર્તાઓ અને બેંકોને આ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવા વિનંતી કરીએ છીએ કારણ કે ગ્રાહકનો ઇન્ટરફેસ ચોક્કસ માપદંડો હેઠળ હોવો જોઈએ.