ગીર સોમનાથના સેવાભાવી તબીબ ર્ડા. અતુલ ચગ આપઘાત મામલે 15 દિવસ થવા છતાં પોલીસે FIR નથી કરી. પોલીસે FIR ન કરતા પરિવાજનો હાઈકોર્ટના શરણે ગયા છે.
ડૉ.અતુલ ચગના આપઘાતનો મામલો
પરિવાર હાઈકોર્ટના શરણે
આવતીકાલે હાઇકોર્ટમાં પોલીસ પર કન્ટેમ્પ દાખલ થશે
આ મામલે ર્ડા.અતુલ ચગના આપઘાત મામલો પરિવાર હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. ત્યારે ર્ડા.અતુલ ચાંગના વકીલે જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરીની ઘટના છે છતાં હજુ સુધી ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારે આવતીકાલે હાઇકોર્ટમાં પોલીસ પર કન્ટેમ્પ દાખલ થશે. સ્યુસાઈડ નોટમાં નામ લખ્યા હોવા છતાં પણ કાર્યવાહિ નથી થઈ. પોલીસ માત્ર પરિવાર અને સમાજને આશ્વાસન જ આપે છે. આવી ઘટનામાં સુપ્રીમ કોર્ટના સુચન મુજબ તાત્કાલિક ફરિયાદ લેવાની હોય છે.
પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છેઃવકીલ ચિરાગ કક્કડ
ર્ડા.અતુલ ચગના પરિવારના વકીલ ચિરાગ કક્કડે વધુમાં જણાવ્યું હતું કે બનાવ 12 ફેબ્રુઆરીનો છે. સ્યુસાઈટ કરીને ર્ડાક્ટરે મોતને વ્હાલું કર્યું છે. સ્યુસાઈટ નોટમાં સ્પષ્ટ નામ લખ્યા છે. છતાં પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છે. પોલીસ ફરજ નિભાવી રહી નથી. સુપ્રિમ કોર્ટના સુચન મુજબ પોલીસે ત્વરિત ફરિયાદ લેવાની હોય છે. આજે અમે હાઈકોર્ટમાં આવ્યા છીએ.
અમારી સામે પાવરફુલ માણસો છેઃહિતાર્થ ચગ
ર્ડા.અતુલ ચગના પરિવારજન હિતાર્થ ચગનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અમારી સામે છે એ પાવરફુલ માણસો છે. એ લોકો પોતાનો પાવરનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ ફરિયાદ લઈ નથી રહી. ત્યારે પોલીસ તપાસ કરે છે. પોલીસ પર અમને ભરોસો પણ છે. પણ તપાસ ધીમી છે. સાંસદનું નામ હોવા છતાં પોલીસ કાર્યવાહિ નથી કરી રહીઃપરિવારજનો
ર્ડા.અતુલ ચગના આપઘાત મામલામાં 15 દિવસ બાદ પણ પોલીસે ગુનો દાખલ નથી કર્યો. પોલીસે કાર્યવાહિ ન કરતા ચગ પરિવા હાઈકોર્ટના શરણે જવું પડ્યું છે. સ્યુસાઈટ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ પણ છે. તેમજ સાંસદના પિતાના નામનો પણ સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ છે. સાંસદના નામનો ઉલ્લેખ હોવાને કારણે પોલીસ નથી કરી રહી કાર્યવાહિ તેવું પરિવાજનો જણાવી રહ્યા છે. પોલીસે FIR ન કરતા પરિવાજનો હાઈકોર્ટના શરણે ગયા
ગીર સોમનાથના સેવાભાવી તબીબ ર્ડા. અતુલ ચગ આપઘાત મામલે 15 દિવસ થવા છતાં પોલીસે FIR નથી કરી. પોલીસે FIR ન કરતા પરિવાજનો હાઈકોર્ટના શરણે ગયા છે. વેરાળની સર્વ સમાજ શોકસભામાં પોલીસ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ અગ્રણી અને ધારાસભ્ય સહિત ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પરિવારજનો દ્વારા વારંવાર જવાબદારો સામે ફરિયાદની અરજી કરી છે. ત્યારે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે FIR ની માંગ કરી છે. આજે પરિવારજનો ન્યાય માટે હાઈકોર્ટમાં જશે.