યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો રશિયાનો દાવો ખોટો હોવાની માહિતી ભારતીય વિદેશ મંત્રાલયે આપી છે. આવી કોઈ માહિતી મળી ન હોવાના સમાચાર એમ્બસી દ્વારા આપવામાં આવી હતી.
યુક્રેન દ્વારા ભારતીયોને બંદક બનવ્યનો રશિયાનો દાવો
આ મુદ્દે વિદેશ મંત્રાલયનો ખુલાસો
કોઈ ભારતીયને બંધક બનાવાયા નથી
રશિયાએ દાવો કર્યો છે કે તેની સેના કિવ અને ખાર્કિવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી રહી છે, પરંતુ યુક્રેને ભારતીયોને બંધક બનાવી લીધા છે.
વિદેશ મંત્રાલયનો ખુલાસો
જોકે, આ દાવાન થોડા જ કલાકોમાં ભારતે આ દાવાને ફગાવી દીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અમારું દૂતાવાસ ત્યાંના ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે. MEA એ કહ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનિયન વહીવટીતંત્રની મદદથી ગઈકાલે ખાર્કિવ છોડી ગયા હતા. અમને યુક્રેનમાં કોઈપણ વિદ્યાર્થીને બંધક બનાવવામાં આવ્યા હોવાના કોઈ અહેવાલ મળ્યા નથી.
ભારતીય વિદ્યાર્થીઓનો ઢાલ તરીકે યુક્રેન કરે છે ઉપયોગ: રશિયા
મહત્વનું છે કે, મોદી-પુતિનની મંત્રણા અંગે ભારત સરકાર દ્વારા ટૂંકી માહિતી આપવામાં આવી હતી. પરંતુ રશિયા સરકાર દ્વારા તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં યુક્રેન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેની સેના ભારતીય વિદ્યાર્થીઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. રશિયન સેના કોરિડોર બનાવીને તેમને સુરક્ષિત રીતે નીકાળવાની વ્યવસ્થા કરી રહી છે. એ પહેલાં સવારના દિવસમાં ભારતમાં રશિયાના નવા રાજદૂત ડેનિસ અલીપોવ અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ખારકિવથી ભારતીય વિદ્યાર્થીઓને રશિયા મોકલવા પર બંને દેશો વચ્ચે વાટાઘાટો કરવાનો સંકેત આપ્યો હતો.
કોરિડોર દ્વારા ખારકિવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ
ત્રણ જ દિવસમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થયેલી આ બીજી વાતચીત છે. ક્રેમલિન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પુતિને વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે રશિયન પક્ષ ભારતીય વિદ્યાર્થીઓને નજીકના રશિયન પ્રદેશમાં લઈ જવા માટે કોરિડોર દ્વારા ખારકિવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું કે, રશિયન સેના ભારતીય નાગરિકોને યુદ્ધના મેદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે.
ભારતનું ચોખ્ખું નિવેદન
રશિયાનું આ નિવેદન ભારતે ચિંતા વ્યક્ત કર્યા બાદ આવ્યું છે કે ભારતીય નાગરિકો હજુ પણ ત્યાં ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાનો સુરક્ષિત રસ્તો મળવો જોઈએ. આ પછી રશિયાએ યુક્રેન પર જ ગંભીર આરોપ લગાવ્યા હતા. જો કે, MEAએ એક નિવેદન જારી કરીને મીડિયાના સવાલોના જવાબ આપ્યા જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે શું ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં બંધક છે? વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે રશિયા, રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને મોલ્ડોવા સહિત ક્ષેત્રના તમામ દેશો સાથે કામ કરી રહ્યા છીએ.
Indian govt took prompt action to evacuate the stranded Indian students in Ukraine. Proud to be an Indian. Indian students stranded in Kyiv & Kharkiv need to be evacuated as soon as possible, said the Indian students stranded in Ukraine reached Delhi airport earlier today pic.twitter.com/kZw6gLKshN
છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. યુક્રેન સરકાર તરફથી તેમના સહકાર બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. અમે યુક્રેનની પશ્ચિમી સરહદે આવેલા પડોશી દેશોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જેઓ ભારતીય નાગરિકો સ્વદેશ પરત ન આવે ત્યાં સુધી તેમના રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે.