IOCના ચેરમેન સંજીવ સિંહે કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના પૂરતો સ્ટોક છે. તેઓએ કહ્યું કે ભારતમાં કોઈ ઈંધણ સંકટ નથી. લૉકડાઉનના સમયથી વધારે સ્ટોક દેશમાં છે. આ માટે કોઈએ ગભરાવવું નહીં.
IOCએ કહ્યું કે ભારતમાં કોઈ ઈંધણ સંકટ નથી
લૉકડાઉનમાં રસોઈ ગેસની કોઈ તકલી નથી
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના પૂરતો સ્ટોક
પેનિક થવાથી બચો
IOCના ચેરમેન સંજીવ સિંહે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના પર્યાપ્ત સ્ટોક છે. ભારતમાં ઈંધણનું કોઈ સંકટ નથી. લૉકડાઉનના સમયથી વધારે સ્ટોક છે. કોઈએ ગભરાવવાની જરૂર નથી. કોરોનાના કારણે પેટ્રોલ - ડીઝલના પંપ બંધ નથી અને રસોઈ ગેસનો સપ્લાય પણ ચાલુ જ છે. લૉકડાઉનના સમયે રસોઈ ગેસની કોઈ તકલીફ નથી. લોકો જરૂર કરતાં વધારે બુકિંગ ન કરાવે.
લૉકડાઉનથી વધારે સ્ટોક છે
IOCના ચેરમેને ખાસ રસોઈ ગેસના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ પેનિક થઈને બુકિંગ ન કરાવે. કંપનીઓ પાસે એલપીજી ગેસની કોઈ ખામી નથી. લૉકડાઉનના સમયથી વધારે સ્ટોક દેશ પાસે છે.
હાલમાં દેશમાં કોરોનાથી પીડિતોની સંખ્યા 1000થી વધુ પહોંચી છે અને સાથે જ કુલ મૃત્યુઆંક 25 પહોંચી ચૂક્યો છે.