દિલ્હીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. એક તરફ સરકારે કોરોનાની ત્રીજી લહેર આવી હોવાનું સ્વીકાર્યું છે. ત્યારે બીજી તરફ પ્રદૂષણને લીધે હેરાનગતિ ભોગવી રહ્યું છે. ત્યારે આ વર્ષે દિલ્હીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં આ વર્ષે દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ વર્ષે પણ આપણે મળીને દિવાળી ઉજવીશું- કેજરીવાલ
પરંતુ ફટાકડા નહીં ફોડીએ -કેજરીવાલ
દિલ્હીમાં વર્ષે દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
દિલ્હીમાં આ વર્ષે દિવાળીમં ફટાકડા ફોડવાની પરવાનગી આપવામા આવી નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના અને હવા પ્રદૂષણની સમસ્યાને ટાંકતા કહ્યું કે સમગ્ર દિલ્હીની 2 કરોડ જનતા એક સાથે દિવાળી મનાવશે. તેમણે કહ્યું કે જે રીતે આપણે ગત વર્ષ દિવાળી પર ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ કર્યો હતો અને દિલ્હીના દિલ કનોટ પ્લેસમાં ભેગા થઈને ખુશીઓ વહેંચી હતી. એ જ રીતે આ વર્ષે પણ આપણે મળીને દિવાળી ઉજવીશું. પરંતુ ફટાકડા નહીં ફોડીએ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનનું શુભ મુહુર્ત સાંજે 7.39 વાગે છે. તેમણે કહ્યું કે 14 તારીખે સાંજે 7.39 વાગે આપણે ફરી કનોટ પ્લેસમાં ભેગા થઈશું. ત્યાં એક જગ્યાએ લક્ષ્મી પૂજન કરીશું. કેટલીક ટીવી ચેનલોથી સીધું પ્રસારણ કરીશું. કેજરીવાલે કહ્યું કે પંડિતજી મંત્રોચ્ચાર કરશે અને તમે લોકો પોત પોતાના ઘરોમાં લક્ષ્મી પૂજન કરશો. જ્યારે 2 કરોડ દિલ્હીવાસીઓ એક સાથે લક્ષ્મી પૂજન કરશે તો અલગ જ દ્રશ્ય સર્જાશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે કોરોનાને લીધે ફાટાકડાના વેચાણ તથા આતિશબાજી પર પ્રતિબંધ મુક્યો છે.