આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનનું કહેવુ છે કે જ્યારથી તેની દિકરી સ્ટાર બની ગઇ છે ત્યારથી લોકો પણ તેને એક સ્ટારની જેમ ટ્રીટ કરવામાં આવે છે.
સોની રાઝદાન હાલ પોતાની ફિલ્મ 'નો ફાધર્સ ઇન કાશ્મીર' ના પ્રમોશનમાં બિઝી છે. આ દમરિયાન એક વાતચીત દરમિયાન જણાવ્યુ કે, તેમણે કાશ્મીરની સ્થિતિ અને કાશ્મીર સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ અંગે વાતચીત કરી. તેમણે કહ્યુ કે, હાલમાં કાશ્મીરમાં કલ્ચરનુ નામ-નિશાન નથી.
કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરતા સોનીએ કહ્યું કે, ‘'મને લાગે છે કે આપણે જેટલા વધારે એડવાન્સ અને ગ્લોબલ થઇ રહ્યા છે એટલા જ સાથે સાથે સંકુચિત થઇ રહ્યા છીએ. મને લાગે છે કે દુનિયા જેમ-જેમ મોટી થતી જાય છે તેમ-તેમ સુરક્ષાની ભાવના પણ વધતી જાય છે. આપણે આપણી સભ્યતાને બચાવવાને લઈને સંકુચિત માનસિકતા ધરાવતા થઈ જઇએ છીએ અને આપણે ધર્મ અને જાતિની વાતો કરીએ છીએ. આજકાલ પણ કંઇક એવું જ થઇ રહ્યુ છે.''
સોનીએ આગળ કહ્યુ કે, ''જ્યારથી કાશ્મીરમાંથી પંડિતો ચાલ્યા ગયા છે, ત્યારથી લોકોના વિચારો સંકુચિત થઇ ગયા છે. જેવી રીતે પાકિસ્તાનમાં બેલેન્સ નથી, તેવી રીતે ભારતમાં પણ ક્યારેય બેલેન્સ ખત્મ ન થવુ જોઇએ. ભારત પૂરી રીતે હિંદુ રાષ્ટ્ર બને તેની વિરુદ્ધમાં છું. મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતની ખાસિયત છે કે બધા લોકો અહીંયા હળીમળીને રહે.''
સોનીએ કહ્યું કે, ''જ્યારે હું આવી વાતો કરુ છું ત્યારે લોકો મને દેશદ્રોહી કહી પાકિસ્તાન જવા માટે કહે છે. હું ક્યારેક વિચારુ છુ કે પાકિસ્તાન જતી રહી. હું ત્યા વધારે ખુશ રહીશ, ત્યાં ખાવાનું પણ સારું મળે છે. અહીંયા તો લોકો મને ભગાડી મુકે છે. પરંતુ દેશમાં મારા જેવી વિચારસરણી ધરાવતા લોકો વધારે છે તેથી મને ફરક પડતો નથી કે મારા માટે શું વિચારો છે.''
ઈન્ટરવ્યૂમાં આગળ સોનીએ જણાવ્યું કે, ''લોકો મને કહે છે પાકિસ્તાન જતા રહો, મારી આ વાત પણ તેઓ મને ટ્રોલ કરે છે. જ્યારે લોકોએ કહ્યુ જ છે તો હું પાકિસ્તાન જઇશ અને વેકેશન માણી પરત ફરી જઇશ. હું ત્યા રહેવા માંગતી નથી.''
સોની રાઝદાનની ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’માં તેની સિવાય કુલભૂષણ ખરબંદા, અંશુમન ઝા, અશ્વિન કુમાર અને શિવમ કુમાર પણ લીડ રોલમાં છે. ફિલ્મનું ડિરેક્શન અશ્વિન કુમારે કર્યુ છે. આ ફિલ્મ કાશ્મીરના 2 છોકરાઓ વિશે છે. જેઓ ગુમ થયેલા પિતાની શોધમાં છે. ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થશે.