કેન્દ્ર સરકારે તમામ પ્રકારના ફેસ માસ્ક, પીપીઈ કિટ અને ફેસ શીલ્ડની નિકાસ પર લાગનારા તમામ ટેક્સ પર છુટ આપી છે. આ માટે સરકારે પોતાના નિકાસ નીતિમાં સંશોધન કર્યુ છે. વિદેશ વ્યાપાર ડિરેક્ટરે મંગળવારે પરિવર્તનને લઈને અધિસૂચના જાહેર કરી છે.
ચશ્માની નિકાસ માટે 20 લાખ યુનિટ સુધી પરવાનગી આપવામાં આવી
એન-95 અને એફએફપી-2 માસ્કની નિકાસ માટે 50 લાખ યુનિટની સીમા નક્કી કરાઈ
આ વર્ષે 31 જાન્યુઆરીથી આની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો
સરકારે કારોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે 31 જાન્યુઆરીથી આની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે સરકારે એન -95 માસ્ક, એફએફપી-2 અને ચિકિત્સીય ચશ્માની નિકાસ માટે મંજુરી આપી છે. આમા ફેસ માસ્ક અને ચિકિત્સીય ચશ્મોની નિકાસની સીમા નિર્ધારિત થશે. આમાં ચિકિત્સીય કામોમાં ઉપયોગમાં આવનારા ચશ્માની નિકાસ માટે 20 લાખ યુનિટ સુધી પરવાનગી આપવામાં આવી છે.
આ ક્રમમાં એન-95 અને એફએફપી-2 માસ્કની નિકાસ માટે 50 લાખ યુનિટની સીમા નક્કી કરવામાં આવી છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર થઈ રહી છે. કોરોનાના ચેપની બચવા માટે 2 તૃત્યાંશ સર્જિકલ માસ્ક અને 50 લાખ એન-95 માસ્ક દર મહિને નિકાસ કરાશે.