કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટમાં નવી ટેક્સ સિસ્ટમની ઘોષણા કરી હતી. ટેક્સ પ્રણાલીને સરળ બનાવવા માટે, કેન્દ્ર સરકારે નવી કર પદ્ધતિમાં કરવેરા દર ઘટાડ્યા છે પરંતુ અગાઉ તમામ છૂટ અને છૂટછાટોને રદ કરી દીધી છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ
છૂટછાટ જોઇએ તો જુની રીતે ભરો ટેક્સની કરી વાત
હાલમાં નવી અને જૂની બંને વેરા પ્રણાલીમાંથી ટેક્સ ભરવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે પરંતુ સરકારે સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં કરદાતાઓને મળતી તમામ રાહતો નાબૂદ કરવામાં આવશે.
છૂટછાટ જોઇએ તો જુની રીતે ભરો ટેક્સ
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે હાલમાં આવકવેરા ભરનારાઓને જૂના અને નવા બંને ટેક્સ સ્લેબ દરોથી ટેક્સ ભરવાનો વિકલ્પ મળશે. જો કોઈ નવા ટેક્સ સ્લેબથી ટેક્સ ભરવા માંગે છે, તો તેણે છૂટછાટો છોડી દેવી પડશે. જ્યારે જેઓ જૂની છૂટછાટોનો લાભ લેવા માંગે છે, તેઓ જૂના કર દરથી આવકવેરો ચૂકવી શકે છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે, કરની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઘણી છૂટછાટોને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કપાત અથવા છૂટછાટને કારણે સામાન્ય માણસ સહિતના વહીવટી અધિકારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નવા ટેક્સ સ્લેબમાં કર ભરવાનું ખૂબ જ સરળ રહેશે.
આવકવેરા સુધારણા હેઠળ દૂર કરાશે તમામ છૂટછાટ
નાણામંત્રી નિર્મલા સીતારામણે એમ પણ કહ્યું હતું કે આગામી સમયમાં સરકાર આવી ટેક્સ સિસ્ટમ તરફ આગળ વધશે જેમાં કોઈ પણ પ્રકારની ટેક્સ છૂટ નહીં મળે. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવકવેરા ભરનારા પાસે હાલમાં બે વિકલ્પો હોવા છતાં, ભવિષ્યમાં, સરકાર રાહત સાથે જૂના સ્લેબમાંથી ટેક્સ ભરવાના વિકલ્પને દૂર કરશે.
અત્યારે 100થી વધુ મળે છે છૂટ
હાલમાં સરકાર સો કરતા વધારે છૂટ આપે છે. પરંતુ નવા ટેક્સ સ્લેબનો લાભ લેવા પર, તમારે ટેક્સમાં 70 જેટલી છૂટછાટો છોડવી પડશે. જેમાં મુસાફરી ભથ્થું (એલટીએ), મકાન ભાડું (એચઆરએ), મનોરંજન ભથ્થું, પગારદાર વર્ગને 50,000 રૂપિયા સુધીના માનક કપાતનો સમાવેશ થાય છે. વિશ્લેષકો કહે છે કે નવી કર પદ્ધતિમાં, આવકવેરાની કલમ 80 સી, 80 ડી, 24 હેઠળની છૂટ પણ નાબૂદ કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, એલઆઈસી, પીપીએફ, એનએસસી, યુલિપ, ટ્યુશન ફી, મ્યુચ્યુઅલ ફંડ્સ ઇએલએસએસ, પેન્શન ફંડ્સ, હોમ લોન, બેંકોમાં ટર્મ ડિપોઝિટ, કચેરીઓ અને 80C હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને. જે લોકો કર મુક્તિનો લાભ લેતા હતા તે નવા કર દરો પર નહીં મળે. આ સિવાય 80 ડી હેઠળ આરોગ્ય વીમા પર પણ કર મુક્તિ આપવી પડશે.