વાઘાઃ આજે સમગ્ર દેશમાં ઈદની ઉજવણી થઈ રહી છે. ત્યારે દર ઈદ અને દિવાળીના તહેવાર દરમિયાન ભારત - પાકિસ્તાનની અટારી બોર્ડર મીઠાઈની આપલે થતી હોય છે. પરંતુ બોર્ડર પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવેલી મીઠાઇ સ્વીકારી નહીં. ભારતે પાકિસ્તાનની ઇદની મીઠાઇ સ્વીકારવાની મનાઇ કરી દીધી.
જેને લઇને આ વખતે ભરતે પાકિસ્તાનની ઈદની મિઠાઈ સ્વીકારવાની ના પાડી છે. બીજી તરફ અનંતનાગમાં પથ્થરબાજોએ ઈદની નમાજ બાદ સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો. તો આજે પણ પાકિસ્તાન દ્વારા રાજોરીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.
Following continuous ceasefire violation by Pakistan in Jammu & Kashmir there was no exchange of sweets between the Border Security Force troops and the Pakistani Rangers at Attari-Wagah border on the occasion of #EidulFitr (File pic) pic.twitter.com/i8dzcN6S1S
મહત્વનું છે કે બન્ને દેશો વચ્ચે બોર્ડર પર સુરક્ષા જવાનો જમ્મૂમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અને પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર તહેવારો દરમિયાન એકબીજાને મિઠાઇ આપવાની પરંપરાનું પાલન કરે છે.
જણાવી દઇએ કે રમઝાનના પાક મહિનામાં જમ્મૂ કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ રાખવાના ઉદેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા આતંવાદીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવેલે કોઇ પણ રીતે સૈના અભિયાનને આંશિકરીતે રદ્ કરવાનો આદેશ કર્યો હતો.
પરંતુ તે છતા રમઝાન દરમિયાન પાકિસ્તાને અંદાજિત 12 યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ત્યારે ખીણમાં આતંકવાદીઓએ અંદાજિત 42 વાર સુરક્ષાદળોને નિશાને લીધા અને હુમલા કર્યા. પાકિસ્તાનના ફાયરિંગમાં અત્યાર સુધીમાં અંદાજિત 30 લોકોથી વધુના મોત નિપજ્યાં છે.
જો કે કાશ્મીર સીઝફાયર ઉલ્લંઘન મામલે ગૃહમંત્રી રાજનાથસિંહે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 16 જૂન એટલે ઇદ સુધી સીઝફાયર લાગૂ રહેશે. સીઝફાયર વધારવા પર ઇદ બાદ બોલીશ.