સરકારે શુક્રવારે લોકસભામાં કહ્યું કે ભારતીય ખાદ્ય પદાર્થોની સુરક્ષા અને માનક દ્વારા એક તૈયાર સમિતિએ કહ્યું કે હાલમાં આ વાતમાં કોઈ તથ્ય નથી કે ખાદ્ય સામગ્રીથી કોરોનાનું સંક્રમણ થાય છે. તેઓએ કહ્યું છે કે કોરોના પ્રભાવિત દેશોમાં ભારતમાં આયાત ખાદ્ય સામગ્રી સંપૂર્ણ રીતે મનુષ્ય માટે સુરક્ષિત છે.
ખાદ્યસામગ્રીથી નથી થતો કોરોના
સરકારે આપ્યો કોરોનાને લઈને જવાબ
આયાત ખાદ્ય સામગ્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું છે કે સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમણનું કોઈ ખતરો નથી. આયુષ ચિકિત્સા પ્રણાલી કોરોનાના સંક્રમણમાં ઉપયોગી છે.
મંત્રાલયે એપને લઈને કહી આ વાત
મંત્રાલયની તરફથી જાહેર કરાયું છે કે એપ સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને લોકસભામાં લેખિતમાં કહ્યું છએ કે આયુષના સંબંધિત ચિકિત્સા પ્રણાલીમાં પ્રેક્ટિશનર્સને માટે દિશા નિર્દેશ તૈયાર કરાયા છે, જેની પર આયુષ મંત્રાલયના અનુસંધાન અને વિકાસ કાર્યબળે મહોર લગાવી છે. તેઓએ કહ્યું કે આયુષ સંજીવની મોબાઈલ એપ પણ મંત્રાલયની તરફથી જાહેર કરાઈ છે જેથી કોરોનાને રોકવા માટે જનતાની વચ્ચે સંબંધિત ઉપાયોના આંકડા મેળવી શકાય.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 52 લાખને પાર થઈ છે. 24 કલાકમાં કોરોનાના 96 હજાર 424 નવા કેસ આવ્યા છે. 24 કલાકમાં 1174 દર્દીના જીવ ગયા છે. 87,778 લોકો રિકવર થયા છે. સાથે દર્દીની સંખ્યા 52 લાખ 14 હજાર 678 થઈ છે. જ્યારે 41 લાખ 12 હજાર 552 દર્દીઓ સાજા થયા છે. દેશમાં રિકવર થયેલા દર્દીની સંખ્યા એક્ટિવ કેસ કરતાં ચાર ગણી છે. દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ 17 હજાર 754 છે. દેશમાં કુલ 84372 દર્દીના મોત થયા છે.