નવરાત્રિ આવી રહી છે, તેને લઈને મધ્ય પ્રદેશના ઉજ્જૈનના અખાડાના મહામંડલેશ્વરે ગરબા આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.
ઉજ્જૈનના મહામંડલેશ્વરની સ્પષ્ટ ચેતવણી
ઉજ્જૈનમાં આ વખતે 50 પંડાલોમાં થશે ગરબાનું આયોજન
નવરાત્રિ દરમિયાન માથે તિલક લગાવવા અને આઈ઼ડી કાર્ડ વગર કોઈને એન્ટ્રી નહીં
મધ્ય પ્રદેશમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન જ્યાં માતાના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનો શણગાર થશે તો સાંજે ઉજ્જૈન શહેરના 50થી વધુ સ્થળોએ ગરબાનું પણ આયોજન કરવામાં આવશે. આ વર્ષે શહેરભરમાં નવરાત્રી પર્વને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગરીબો માટે રિહર્સલ પણ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વખતે ગરબા દરમિયાન પંડાલમાં યુવતીઓ અને મહિલાઓ સાથે છેડતી અને લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા માટે ઉજ્જૈનના આહ્વાન અખાડાના મહામંડલેશ્વર અતુલેશાનંદ સરસ્વતી (આચાર્ય શેખર)એ સ્પષ્ટ રીતે ચેતવણી આપી દીધી છે.
આ વખતે ગરબા પંડાલોમાં પ્રવેશ માટે ભક્તોના માથા પર તિલક તથા ખિસ્સામાં આઈકાર્ડ હોવા જરુરી છે. જેને જોઈને જ પંડાલોમાં પ્રવેશ આપવામાં આવશે. મહામંડલેશ્વર અતુલેશાનંદ સરસ્વતીએ કહ્યું કે, ગરબા પંડાલ જ લવ જિહાદનું મોટુ માધ્યમ છે. કારણ કે આ પંડાલોમાં અમુક લોકો માતાની આરાધના કરવા નહીં પણ ભોળી છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લવ જિહાદ કરવા આવે છે.
आह्वान अखाड़े के महामंडलेश्वर अतुलेशानंद सरस्वती की दो टूक
મહામંડલેશ્વર આટલેથી અટક્યા નહોતા. તેમણે આગળ કહ્યું કે, ગરબા કરાવનારી સંસ્થા આઈકાર્ડ જોયા વિના કોઈને પણ પંડાલમાં પ્રવેશ ન આપે. લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા માટે આપણે બધાએ સતર્ક રહેવાની જરુર છે. તેમણે એવું પણ કહ્યું છે કે, જોઈ કોઈ ગરબા આયોજક પાસે એન્ટ્રી તપાસ અથવા તો હિન્દુ ભાઈઓના તિલક લગાવવા માટે કાર્યકર્તાની કમી હોય તો અખંડ હિન્દુ સેના કાર્યકર્તા અને સિંહવાહિનીની બહેનો આ કામમાં મદદ કરશે.
સંસ્કૃતિ મંત્રીએ પણ મામલો ઉઠાવ્યો હતો
થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે પણ ગરબા પંડાલમાં વિશેષ જાતિના લોકોની ગરબા પંડાલમાં એન્ટ્રી પર વાંધો ઉઠાવ્યો હતો. કહ્યું હતુ કે, જે લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા, જેમને ધર્મમાં વિશ્વાસ નથી, તેમને ગરબા જોવા અને પંડાલોમાં આખરે શું કામ આવવું જોઈએ ? ગરબા પંડાલમાં લોકો મનોરંજન માટે આવે છે, આ કોઈ મનોરંજન નહીં પણ માતાની આરાધનાનો એક ભાગ છે.