પતંગની દોરીને કારણે થતી જાનહાનિને ટાળવા માટે સુરત શહેરમાં તંત્ર એ 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
સાવચેતી માટે સુરતમાં તંત્ર એ લીધો આ નિર્ણય
સુરતના તમામ બ્રિજ પર ટુ-વ્હીલર માટે "NO ENTRY"
સુરત શહેરમાં 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે બંધ
ગુજરાતભરમાં આજે મકરસંક્રાતિ (ઉત્તરાયણ) ની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ચારે તરફ પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે. એમાંય વળી હવામાન વિભાગે 15થી 20 કિ.મી પ્રતિ કલાકની પવનની ગતિની આગાહી કરી છે. ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સુરતમાં ઉત્તરાયણને લઈને કોઇ જાનહાનિ ન થાય એ માટે તંત્રએ એક મોટો નિર્ણય કર્યો છે.
સાવચેતી માટે સુરતમાં તંત્ર એ લીધો આ નિર્ણય
ગુજરાતમાં આજના આ પર્વ નિમિતે તંત્રએ લોકોને સાવચેતી સાથે સેફ ઉત્તરાયણ મનાવવાની અપીલ કરવામાં આવી રહી છે એવામાં પતંગની દોરીને કારણે થતી જાનહાનિને ટાળવા માટે સુરત શહેરમાં તંત્ર એ 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ આજ એનએ આવતી કાલ એમ બે દિવસ માટે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી સુરતના તમામ બ્રિજ બંધ રહેશે.
સુરતના તમામ બ્રિજ પર ટુ-વ્હીલર માટે "NO ENTRY"
ઉતરાયણઆ આ પર્વ પર લોકો પતંગ ચગાવે છે અને ખાસ એવામાં પતંગની દોરીના લીધે ઘણા વાહનચાલકો અકસ્માતનો શિકાર બનતા હોય છે એવા કિસ્સા આપણે સાંભળવા મળે છે અને આવામાં કોઇ દુર્ઘટના ન બને એ વાતનું ધ્યાન રાખતા સુરતનું તંત્ર સજાગ બન્યું છે અને સુરતમાં બે દિવસ માટે 70 થી વધુ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સુરતમાં આવેલા ઓવર બ્રિજ આજે અને આવતી કાલે ટુ વ્હીલર માટે બંધ રહેશે એનએ એ સાથે જ બ્રિજના બંને છેડે પોલીસ અને ટીઆરબી જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
પવનને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે. સડસડાટ પતંગ ચગી જશે. આજે ઉતરાયણના તહેવાર પર ઉતર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાશે. જેથી આજના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે. જોકે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
કરુણા અભિયાન
ઉત્તરાયણનો તહેવાર આવે એટલે મુક્ત મને આકાશમાં વિહાર કરતા પંખીઓ માટે જોખમી દિવસ. કારણ કે પતંગ રસિયાઓ બે દિવસ તો ધાબેથી ઉતરવાના જ નથી. આ દિવસોમાં પક્ષીઓ વધુ પ્રમાણમાં દોરી વાગવાથી ઘાયલ થાય છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં પશુ-પક્ષીઓના જીવ બચાવી શકાય. કરુણા અભિયાન 2023 માટે 1962 હેલ્પલાઈન નંબર છે