શાળાએ જ્ઞાનમંદિર છે અહીં જ્ઞાનનો પ્રકાશ રેલાતો હોય છે. પરંતુ બદલાતા સમયમાં શાળામાં ચાલતી આ જ્ઞાનપ્રવૃત્તિ વીજળી પર મોતાજ રાખવા લાગી છે. .કેમ કે શાળામાં હવે કોમ્પ્યુટર અને ટીવીના માધ્યમથી શિક્ષણ પ્રક્રિયા હાથ ધરાવા લાગી છે. પરંતુ આ વીજળી જ હવે જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં અડચણ બની છે.
આ વાત સામે આવી છે મહિસાગર જિલ્લાની એક માધ્યમિક શાળામાંથી. અહીં વીજળી વિના વિદ્યાર્થીઓનું શિક્ષણ અંધકારમય બન્યું છે. 24 કલાક વીજળીની વાતો વચ્ચે આ શાળામાં છ માસ અંધારપટ છે. તો શાળાને કેમ લાગી ગયું અંધકારનું ગ્રહણ જોઈએ અમારા આ અહેવાલમાં.
છેલ્લા 6 મહિનાથી વીજળીથી વંચિત
મહીસાગર જિલ્લાના ચાંપેલી ગામમાં આવેલી છે સરદાર પટેલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા. મહીસાગર જીલ્લાની આ શાળા છેલ્લા 6 મહિનાથી વીજળીથી વંચિત છે. જેના કારણે અહીં જ્ઞાનપ્રકાશની પ્રવૃત્તિ પર તંત્રની વીજતંત્રની મનમાનીનો અંધકાર છવાયો છે. શાળામાં છેલ્લાં છ માસથી વીજળી ન હોવાથી તમામ વિદ્યુત ઉપકરણો વપરાશ વિના જ ધૂળ ખાઈ રહ્યા છે.. શિક્ષણપ્રવૃત્તિ માટેના આ કોમ્પ્યુટરની લેબ છેલ્લા છ માસથી બંધ છે.
પંખા બંધ, સર્વર બંધ, લાઈટ બંધ, પાણીની મોટર બંધ બસ માત્ર ચાલુ છે તો વીજ તંત્રની મનમાની
તો વિદ્યાર્થીઓની સુરક્ષા માટેના સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બની ગયા છે. વીજળી વિના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ ગરમીમાં બફાઈ રહ્યા છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી અને આ તરફ શાળાના શિક્ષકો ઓનલાઈન પ્રવૃત્તિને બદલે ઓફલાઈન કામ કરવા મજબૂર થયા છે. વીજળી વિના પાણીની મોટર બંધ રહેતી હોવાના કારણે સ્કૂલમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. પંખા બંધ, સર્વર બંધ, લાઈટ બંધ, પાણીની મોટર બંધ બસ માત્ર ચાલુ છે તો વીજ તંત્રની મનમાની અને વિદ્યાર્થીઓની હાલાકી. વીજળી વિના કેટલા ત્રસ્ત થઈ ગયા છે શાળાના બાળકો સાંભળો તેમના મુખે.
સરકાર કરે છે ચોવીસ કલાક વીજળી આપવાની વાતો
તમને થશે સરકાર ચોવીસ કલાક વીજળી આપવાની વાતો કરે છે તો સરકાર હસ્તકની એક પ્રાથમિક શાળામાં વીજળી કેમ નહીં હોય? તો સાંભળો વાત એમ છે કે, મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગત ડીસેમ્બર- 2018થી શાળાનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. કારણ એ હતું કે, સરદાર પટેલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી લો વોલ્ટેજની સમસ્યા સતાવી રહી હતી. આ સમસ્યાના નિવારણ માટે શાળાના આચાર્ય દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીને અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જ કાર્યવાહી ન થઇ.
અંતે જ્યારે શાળામાં પ્રવેશોત્સવ વખતે આ લો વોલ્ટેજની સમસ્યા ખુદ જિલ્લા કલેક્ટર સામે જ ઊઘાડી પડી તો વીજતંત્રની બેદરકાર સામે આવી. જો કે તે પછી પણ લો વોલ્ટેજની સમસ્યા દૂર કરવાના બદલે 28 ઓગસ્ટ 2018ના રોજ શાળાનું મીટર જ લઈ જવામાં આવ્યું અને શાળામાં નવું મીટર લગાવવામાં આવ્યું. તે પછી જૂના મીટરના લેબ ટેંસ્ટિગ વખતે શાળાના આચાર્યને હાજર રહેવા જણાવ્યું.
આચાર્યની હાજરીમાં લેબ ટેસ્ટિગ બાદ મીટરમાં છેડછાડ કરાઈ હોવાનો આક્ષેપ લગાવાવમાં આવ્યો અને વીજચોરીના દંડ પેટે 1.56 લાખનું વીજબીલ ફટકારી દેવામાં આવ્યું. જો કે શાળાના આચાર્ય દ્વારા દંડ પેટે મળેલું વીજબીલ નહીં ભરાતાં શાળાના નવા મીટરનું વીજ કનેક્શન પણ કાપી લેવામા આવ્યું. જેના કારણે છેલ્લા છ માસથી શાળામાં અંધારપટ છે અને વીજતંત્ર પોતાના વલણ પર અક્કડ છે.
આપને જણાવી દઇએ કે, શાળા દ્વારા કોઈપણ પ્રકારની વીજ ચોરી કરવામાં આવી નથી કે નથી કોઈ પ્રકારે મીટરમાં છેડછાડ કરવામાં આવી. કેમ કે શાળા પાસે વીજચોરી કરવાનું કોઈ કારણ નથી. છતાં વીજચોરના આક્ષેપ સાથે દંડપેટે મળેલા તોતિંગ વીજબિલથી સમગ્ર શાળા તંત્ર સજ્જ છે. એટલું જ નહીં, અધધ કહી શકાય તેવી રકમ શાળા ભરપાઈ કરવા માટે સક્ષમ નથી તેવી પણ અનેક રજુઆતો કરવામાં આવી પરંતુ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા કોઈપણ રજુઆતને ધ્યાને લેવાઈ નથી.
શાળાના ધોરણ 9થી 12ના વિધ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે
હાલ તો વીજતંત્ર અને શિક્ષણતંત્ર વચ્ચે અટવાયેલા આ મામલાને કારણે આ શાળાના ધોરણ 9થી 12ના વિધ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. જો શાળાનો પક્ષ સાચો હોય તો પછી વીજ મીટરના લેબ ટેસ્ટિંગના પરિણામો પર જરૂરથી શંકા ઉપજે છે અને જો લેબ ટેસ્ટિંગના પરિણામો સાચા છે.
તો પછી વીજમીટરમાં કેવી રીતે ટેકનિકલ ફોલ્ટ સર્જાયો તે સાબિત કરવા સરકારે કોઈ મધ્યસ્થ એજન્સીની રચના કરવી પડે. કેમકે આ તો બે સરકારી તંત્ર વચ્ચે અવિશ્વાસનો માહોલ ઊભી કરતી ઘટના છે જેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.