ભારતની જેલોની સ્થિતિ વિશેના રિપોર્ટ આમ તો સારા નથી હોતા પરંતુ મુંબઈની આર્થર રોડ જેલની સ્થિતિ ટુંક સમયમાં સુધરી શકે છે. મળતી માહિતી અનુસાર ભાગેડુ વિજય માલ્યાને આર્થર રોડ જેલમાં રાખવાના છે માટે જેલને વિજય માલ્યા માટે રહેવાલાયક બનાવવામાં આવી રહી છે.
વાસ્તવમાં વિજય માલ્યાની તરફથી યૂકેની કોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતની જેલોની સ્થિતિ ખરાબ છે તો તે રહેવા લાયક નથી. જે પછી સરકાર જેલની 12 નંબરની બેરકમાં વિજય માલ્યાને રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઇએ કે 12 નંબરની બેરક તો એજ છે કે જ્યાં પાકિસ્તાની આંતકવાદી અજમલ કસાબને માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી.
આર્થર રોડ જેલ મહારાષ્ટ્રની પહેલી એવી જેલ હશે જ્યાં અન્ડર-ટ્રાયલ કેદીઓ માટે એક સારું જિમ બનશે. જેલના અધિકારીઓએ જણાવ્યું કે જેલમાં જિમનો ઉપયોગ અમુક કાસ લોકો જ કરી શકશે. અહીં વર્કઆઉટ કરવા માટે સારા ઉપકરણો મુકવામાં આવશે. આ જિમ પણ અન્ય સામાન્ય જિમ કરતા અલગ છે.
અહીંયા સિમેન્ટના બનેલા બ્લૉક્સ ડમ્બલ્સ તરીકે પર ઉપયોગ કરવામાં આવ્યો હતો આવતો હતો પરંતુ અમુક કેદીઓએ સીમેન્ટના ડમ્બલ્સથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટના પછી નિર્ણય લેવામાં આવ્યો કે જિમમાં ઉપકરણ ખુલ્લા નહીં મુકવામાં આવે તેમને મશીન સાથે જોડવામાં આવશે.
જેલ અધિકારીએ જણાવ્યુ કે જે કેદીઓ ડમ્બલ્સનો ઉપયોગ નથી કરી શકતા તેમના માટે પાણીની બોટલ્સમાં મીઠું ભરીને આપવામાં આવશે. આ મીઠા વાળી બોટલ્સનો ઉપયોગ તે પમ્પ આયરન માટે કરી શકશે. જેલ સમીક્ષકે જણાવ્યું કે જિમમાં બે પ્રોફેશનલ ટ્રેનર્સ પણ તૈનાત કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે અન્ડર-ટ્રાયલ કેદીઓની માંગ પછી જિમ બનાવવામાં આવી રહ્યું છે. અત્યારે જેલમાં કેદીઓની સંખ્યા ક્ષમતા કરતા ઘણી વધારે છે. અનેક વૃદ્ધ કેદીઓ મેદસ્વીતા અને સાંધાના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જિમમાં એક્સર્સાઈઝ કરીને તે સ્વસ્થ રહી શકશે.
જિમમાં એકસાથે 20-25 કેદીઓ એકસાથે વર્કઆઉટ કરી શકશે તેમણે વર્કઆઉટ માટે 45 મિનિટનો સમય આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે જેલમાં ઘણા કેદીઓ છે જેઓ પોતાને ફિટ રાખવા માટે બેરકમાં જ વર્કઆઉટ કરે છે.