દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘણા વિસ્તારોના નામ ખૂબ જ અજીબ છે. જેમાં એક 'ધોબી તળાવ' વિસ્તાર છે. તમે કચાદ જ આ વિસ્તારનું નામ સાંભળ્યું હશે.
17મી સદીના અંતમાં અહી એક મોટુ તળાવ હતું
અંગ્રેજ ફૌજીના કપડા ધોવામાં આવતા હતા
આ જગ્યા પર એક ઈન્સ્ટીટ્યૂટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો
મુંબઈ: ભારતમાં ઘણી જગ્યાઓ પોતાની કોઈને કોઈ ખાસિયતના કારણે વિશ્વભરમાં જાણીતી છે. ઘણા શહેર પોતાના બિઝનેસને લઈ જાણીતા છે, ઘણા અજીબોગરીબ નામને લઈ જાણીતા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘણા વિસ્તારોના નામ ખૂબ જ અજીબ છે. જેમાં એક 'ધોબી તળાવ' વિસ્તાર છે. તમે કચાદ જ આ વિસ્તારનું નામ સાંભળ્યું હશે. ધોબીધાટનું નામ સાંભળી મનમાં સવાલ થાય કે અહીં કપડા ધોવાનું કામ થતું હશે. પરંતુ સ્ટોરી કંઈક અલગ છે. અહીં ન તો ધોબી છે અને ન કોઈ તળાવ છે, આજકાલ અહીં આ વિસ્તારમાં ઘણી મોટી બિલ્ડિંગો છે. આવો ધોબી તળાવી સ્ટોરી વિશે જાણીએ.
અંગ્રેજોના જમાનામાં કપડા ધોવામાં આવતા
ઈન્ટરનેટ પર બ્લોગ ચલાવતા ધર્મેંદ્ર કુમાર ઓઝાએ તેની પૂરી સ્ટોરી વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું કે આશરે 250 વર્ષ પહેલા 17મી સદીના અંતમાં અહી એક મોટુ તળાવ હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનકાળમાં તળાવના કિનારે કપડા ધોવાનું કામ કરવામાં આવતું હતું. વધુ પડતા અંગ્રેજ ફૌજીના કપડા ધોવામાં આવતા હતા. પરંતું જ્યારે અંગ્રેજોએ મુંબઈ શહેરનો વિસ્તાર કર્યો ત્યારે આ ધોબીધાટને ફાસી તળાવ પર શિફ્ટ કરી દિધું.બાદમાં એ તળાવને ભરી દેવામાં આવ્યું અને ધીમેધીમે અહીં લોકો વસવાટ કરવા લાગ્યા.
તળાવ ભરી અહીં લોકો રહેવા લાગ્યા
તળાવ ભરાઈ ગયા બાદ અહીં લોકો વસવાટ કરવા લાગ્યા હતા. આ લોકોને ઈસાઈ બનાવી દેવામાં આવ્યા હતા. બાદમાં આ લોકો કાંદીવલી અને બાંદ્રા વિસ્તારમાં રહેવા લાગ્યા અને ગુજરાત અને મારવાડી લોકો અહી આવીને રહેવા લાગ્યા. આશરે 100 વર્ષ બાદ તળાવવાળી જગ્યાને મુંબઈના જાણીતી બિઝનેસમેન અને સમાજસેવી ફારમજી કાવસજીએ ખરીદી લીધી. ઘણા વર્ષો સુધી આ વિસ્તાર ખાલી પડ્યો રહ્યો. આસપાસના વિસ્તારમાં પાણીની સમસ્યા થવા લાગી. ત્યારબાદ ફારમજી કાવસજીએ તળાવની જગ્યાને ફરી ખોદકામ કરાવ્યું. પરંતુ 1851માં તેમના નિધન બાદ તેમની સ્મૃતિમાં આ જગ્યા પર એક ઈન્સ્ટીટ્યૂટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને અહીં ફારમજી કાવસજી બનાવાયું. આ વિસ્તાર સાઉથ મુંબઈ ક્ષેત્રમાં આવે છે. અહી મેટ્રો થિયેટર, ધ જેવિયર્સ હાઈ સ્કૂલ એન્ડ કૉલેજ અને એલફિન્સ્ટન ટેકનિકલ હાઈ સ્કૂલ છે.
કઈ રીતે જશો ધોબી તળાવ
ઘણા લોકોને મુંબઈના ધોબીધાટ અને ધોબીતળાવમાં મૂંઝવણ થાય છે. પરંતુ આ બંને જગ્યા અલગ-અલગ છે. ધોબીધાટ મહાલક્ષ્મીમાં છે, જેને ઘણી ફિલ્મોમાં તમે જોયુ હશે. જ્યારે ધોબી તળાવ ચૈન્ને રોડ અને મરીન લાઈન્સ વચ્ચે આવે છે. જો તમે મરીન લાઈન્સ સ્ટેશન પર ઉતરો તો મેટ્રો સિનેમા તરફ જશો તો આ વિસ્તારે ધોબી તળાવ કહેવામાં આવે છે.