દિલ્હી-NCRમાં તાજેતરમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. વાડિયા હિમાલયી ભૂવિજ્ઞાન સંસ્થાનનું કહેવું છે કે આવા આંચકા અસામાન્ય નથી. જેથી મોટા ભૂકંપના આંચકાની શક્યતાને નકારી શકાય નહીં. જો સાવધાની રાખવામાં આવે તો ભૂકંપથી નુકસાન ઓછું થઇ શકે છે. કોઇપણ ભૂકંપની પહેલાથી કોઇ ભવિષ્યવાણી કરી શકાય નહીં. પરંતુ ક્ષેત્રની ઉર્જા તાણ, ફોલ્ટ મેપિંગ દ્વારા વિસ્તારની સંવેદનશીલતા સમજી શકાય છે.
દિલ્હી-NCRમાં મોટા ભૂકંપના આંચકાની આશંકા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા
પાછલા દિવસોમાં ઓછી તીવ્રતાના 14 આંચકા અનુભવાયા
દિલ્હી-NCR બીજા નંબરના સૌથી વધુ રિસ્ક ઝોનમાં આવે છે
દિલ્હી-NCR બીજા સૌથી વધુ રિસ્ક ઝોનમાં આવે છે. દિલ્હી-NCRમાં પાછલા દિવસોમાં ઓછી તીવ્રતા વાળા 14 આંચકા અનુભવાયા છે. 29મેના રોહતકમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.6ની હતી. જો કોઇ મોટો ભૂકંપ આવે તો તેને પહેલા આવેલા ઓછી તીવ્રતાના આંચકા સાથે જોડવા
માં આવે છે. પરંતુ નાના આંચકાના આધાર પર ન કહી શકાય કે મોટો ભૂકંપનો આંચકો આવશે. દિલ્હી-NCRમાં અનેક નબળા ઝોન છે...દિલ્હી-NCR હિમાલય ક્ષેત્રની નજીક છે જેથી ત્યાં ભૂકંપનો ખતરો વધુ રહે છે.
કયારે-કયારે ધ્રૂજી દિલ્હી-યુપીની ધરતી?
દિલ્હીમાં 1720માં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
મથુરામાં 1803માં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
મથુરામાં 1842માં 5.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો
બુલંદશહેરમાં 1956માં 6.7ની તીવ્રતાનો ભૂકંપ
ફરીદાબાદમાં 1960માં 6.0ની તીવ્રતાનો ભૂકંપ
મુરાદાબાદમાં 1966માં 5.8ની તીવ્રતાનો ભૂકંપ
શું રાખશો સાવધાની?
જાપાન જેવા દેશોએ સાબિત કર્યું તૈયારીથી ઓછું નુકસાન થાય છે.
ઇમરજન્સી નંબર મોબાઇલમાં સેવ કરો.
બેકઅપ સપ્લાય કિટ તૈયાર કરે જેમાં બિસ્કીટ, પાણી દવા હોય.
ભૂકંપ દરમિયાન શાંત રહો, ધરતીનું ધ્રુજવું એક મિનીટ કરતા ઓછું હોય છે.