— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 1, 2021
આ પહેલા પાલખી યાત્રા હાલ લીમડા વન ખાતે પહોંચી હતી. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા
લીમડા વન ખાતે હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહની આરતી ઉતારાઈ, મોટી સંખ્યામાં ભક્તો રહ્યા ઉપસ્થિત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 1, 2021
સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસ થયા બાદ તેમના નશ્વર દેહને ભક્તોના દર્શન કાજે રાખવામાં આવ્યો હતો મહત્વનું છે કે મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે કર્યા હતા. આજે તેના અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર વિધિ પહેલા સોખડા હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી પાલખીયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. પાંચ પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી
શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી
સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવનાર છે. મહત્વનું છે કે આ અંતિમ સંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા, મુખ્યમંત્રીએ કહ્યું કે હરિપ્રસાદ સ્વામી ગુજરાતની ચિંતા કરતા હતા, ગુજરાતે મોટા સંત ગુમાવ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 1, 2021
27 જુલાઈએ અક્ષરવાસી થયાં હરિપ્રસાદ સ્વામી
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 27 જુલાઈને સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થયાં હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
લાખો લોકોએ સ્વામીજીના નશ્વર દેહના કર્યા અંતિમ દર્શન
હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન દેશ-વિદેશના અનેક ભક્તો અને રાજકીય-સામાજીક આગેવાનોએ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી હતા નાદુરસ્ત
હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
1934માં સ્વામીજીનો થયો હતો જન્મ
આપને જણાવી દઇએ કે, સ્વામી હરિપ્રસાદજી BAPS સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓનો જન્મ 1934માં થયો હતો.