કોરોનાની બીજી લહેરમાં ઑક્સીજનની અછતથી થયેલા મોતના આંકડા પર કેન્દ્ર સરકારના જવાબથી વિપક્ષ એકદમ ભડકી ગયું છે.
કેન્દ્ર સરકારના જવાબથી વિપક્ષ એકદમ ભડકી ગયું
સાંસદ સત્યેન્દ્ર સિંહે કર્યા પ્રહાર
પ્રિયંકા ગાંધીએ પણ કરી ટ્વિટ
કેન્દ્ર સરકારના જવાબથી વિપક્ષ ભડકી ગયું
કોરોનાની બીજી લહેરમાં ઑક્સીજનની અછતથી થયેલા મોતના આંકડા પર કેન્દ્ર સરકારના જવાબથી વિપક્ષ એકદમ ભડકી ગયું છે. આ મુદ્દાને લઈ સાંસદમાં આમ આદમી પાર્ટી (AAP) વિશેષઅધિકારનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે. બીજી બાજુ, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ બાબતને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
સાંસદ સંજય સિંહે કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ સંજય સિંહે કહ્યું કે આ સંકટના સમયે કેન્દ્ર સરકારે આ દેશને અનાથ રીતે મૂકી દીધો. સરકારને તો ખબર જ નહોતી કે દેશમાં શું થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) વિશેષઅધિકારનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે. સાથે જ દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું કે સરકારનો જવાબ એકદમ ખોટો છે. દિલ્હી સહિતના દેશના અલગ અલગ રાજ્યોમાં ઑક્સીજનની અછત વર્તાઇ હતી. અમે દિલ્હીમાં ઑક્સીજનની અછતના કારણે થયેલી મોતને લઈ એક કમિટી બનાવી હતી, જેને ઉપરાજ્યપાલે મંજૂરી આપી નહોતી. જો એ કમિટી હોત તો અમને એકદમ સ્પષ્ટ આંકડો મળ્યો હોત.
પ્રિયંકા ગાંધીએ પણ કરી ટ્વિટ
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં ઑક્સીજનની અછતથી મોત એટલા માટે થયા કારણકે કેન્દ્ર સરકારે ઑકિસજનનો નિકાસ 700 % સુધી વધારી દીધો હતો. તેમણે કહ્યું કે સરકારે ઑક્સીજન ટ્રાન્સપોર્ટ કરવાવાળી ટેન્કરોની વ્યવસ્થા કરી જ નહીં. સાથે જ હોસ્પિટલોમાં પણ ઑક્સીજન પ્લાન્ટ લગાડવામાં પણ કોઈ પ્રકારની સક્રિયતા બતાવી નહીં.
"ऑक्सीजन की कमी से कोई मौत नहीं हुई": केंद्र सरकार
मौतें इसलिए हुईं
👉क्योंकि महामारी वाले साल में सरकार ने ऑक्सीजन निर्यात 700% तक बढ़ा दिया
👉क्योंकि सरकार ने ऑक्सीजन ट्रांसपोर्ट करने वाले टैंकरों की व्यवस्था नहीं की … 1/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 21, 2021