માર્ચ 2020એ કોરોના મહામારીથી લડી રહેલા દિલ્હીવાસીઓ માટે મોટા રાહતની વાત એ છે કે ગત 24 કલાકમાં દિલ્હીમાં આ જીવલેણ વાયરસના કારણથી કોઈનો જીવ નથી ગયો. લગભગ 287 દિવસ બાદ આ રાહતના સમાચાર આવ્યા છે. આ પહેલા 28 એપ્રિલ 2020ના દિલ્હીમાં આ વાયરસથી કોઈનું મોત થયુ નથી.
મુખ્યમંત્રીએ દિલ્હીવાસીઓને અભિનંદન પાઠવ્યા
લગભગ 287 દિવસ બાદ આ રાહતના સમાચાર આવ્યા
28 એપ્રિલ 2020ના દિલ્હીમાં આ વાયરસથી કોઈનું મોત થયુ નથી.
મુખ્યમંત્રીએ દિલ્હીવાસીઓને અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યું કે દિલ્હીવાસીઓ માટે સુખદ સમાચાર, આજે કોરોનાની કારણે દિલ્હીમાં એક પણ મોત નથી થયા. દિલ્હીવાસીઓને અભિનંદન, કોરોનાના કેસ પણ અત્યારે ઓછા થઈ ચૂક્યા છે. રસી અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દિલ્હીવાસીઓએ કોરોનાની વિરુદ્ધ બહું આકરી લડાઈ લડી. હજું આપણે સંપૂર્ણ સાવધાની વર્તવાની છે. સ્વાસ્થ્ય મંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ પણ ખુશી વ્યક્ત કરી. ત્યારે મનીષ સિસોદિયાએ ટ્વીટમાં લખ્યું કે અનેક મહિના બાદ બહુ મોટી પોઝિટિવ ન્યૂઝ આજે દિલ્હીમાં એક પણ મોત નહીં. આશા રાખીએ છીએ કે જલ્દી એવા દિવસો પણ આવે કે દિલ્હીમાં કોવિડનો એક પણ મામલો નહીં થાય.
નીતિ આયોગે કહી મોટી વાત
નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વીકે પોલે કહ્યું કે દિલ્હીમાં ગત 24 કલાકમાં એક પણ મોત નથી થયા જે મોટી વાત છે. દિલ્હી સહિત પૂરા દેશમાં ઘણા હદ સુધી આન કન્ટ્રોલ કરી લેવામાં આવ્યું છે. હજું પણ આપણે જાગૃત રહેવાનું છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા રહેવાનું છે.
100 નવા કેસ અને સંક્રમણ રેટ 0.18 ટકા
ગત 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 100 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન દિલ્હીમાં કોરોનાના 56410 સેમ્પલ તપાસવામાં આવ્યા. જેમાંથી 0.18 પર્સેન્ટ પોઝિટિવ રેટ આવ્યો છે. આ અત્યાર સુધીમાં સૌથી ઓછો સંક્રમણ રેટ છે. રિપોર્ટ અનુસાર આ દરમિયાન 144 લોકો સાજા થઈ ગયા છે. અને હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા 1052 રહી ગયા છે. જેમાંથી 500થી ઓછા એટલે કે 496 દર્દી હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારે 500થી ઓછા 441 દર્દી હોમ આઈસોલેશનમાં છે. દિલ્હીમાં અત્યારે કોવિડ માટે ફક્ત 6050 બેડ્સ રિઝર્વ છે. જેમાંથી 5554 બેડ્સ ખાલી છે. હવે દિલ્હીમાં 950 કન્ટેનમેન્ટ જોન છે.
પહેલું મોત 13 માર્ચે
દિલ્હીમાં કોરોનાનો પહેલો મામલો 2 માર્ચે આવ્યો હતો. પરંતુ દિલ્હીમાં કોરોનાની પહેલી મોત 13 માર્ચે થઈ હતી. જનકપુરી નિવાસી મહિલાનું સારવાર દરમિયાન રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મોત થયું હતુ. જોકે પૂરા મહિનામાં દિલ્હીમાં ફક્ત 2 મોત થયા હતા.
287 દિવસ બાદ કોઈ મોત નહીં
28 એપ્રિલે દિલ્હીમાં કોરોનાથી કોઈનું મોત નથી થયું. પરંતુ આ બાદ એક પણ દિવસ એવો નથી કે જ્યારે દિલ્હીમાં વાયરસને કારણે કોઈનો જીવ ન ગયો હોય.