સંસદમાં મોનસૂન સત્રનો પ્રારંભ થઇ ગયો છે, વિપક્ષ તરફથી આ વખતે લેખિતમાં સવાલ પૂછવામાં આવી રહ્યાં છે. કોરોના સંકટ સમયમાં અને લોકડાઉનની વચ્ચે પ્રવાસી મજદૂરો પર ઘણું સંકટ જોવા મળ્યું હતુ, સરકારને આ મામલે સવાલ પૂછવામં આવ્યો. વિપક્ષના કેટલાંક સાંસદોએ આ વચ્ચે પ્રવાસી મજદૂરોના મોતના આંકડાઓ અંગે જાણકારી માંગી, જેના પર સરકારે કહ્યું કે તેમની પાસે ડેટા નથી.
લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂદરોના મુદ્દા પર સવાલ હતો કે શું સરકાર પ્રવાસી મજદૂરોના આંકડાઓ ઓળખવામાં ભૂલ કરી ગઇ, શું સરકાર પાસે એવા આંકડા છે કે લોકડાઉન દરમિયાન કેટલા મજૂદરોના મોત થયા છે, કારણ કે હજારો મજદૂરોના મરવાની વાત સામે આવી છે. તે સિવાય સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકારે બધા રાશનકાર્ડ ધારકોને મફતમાં રાશન આપ્યું છે, જો હા તો તે અંગેની જાણકારી આપે.
તે સિવાય લેખિત સવાલમાં કોરોના સંકટ દરમિયાન સરકાર દ્વારા ઉઠાવામાં આવેલા અન્ય પગલાઓ અંગેની જાણકારી માગવામાં આવી.
કેન્દ્ર સરકાર તરફતી મંત્રી સંતોષ કુમાર ગંગવારે લેખિતમાં જવાબ આપ્યા, જેમાં કહેવામાં આવ્યું કે ભારતે એક દેશ તરીકે કેન્દ્ર-રાજ્ય સરકાર, લોકલ બોડીને કોરોના સામેની લડાઇ લડી છે. મૃત્યુંના આંકડાઓને સરકારે કહ્યું છે કે તેમની પાસે એવો કોઇ ડેટા નથી.
રાશનના મુદ્દા પર મંત્રાલય તરફથી રાજ્યવાર આંકડાઓ ઉપલબ્ધ ન હોવા અંગેની વાત કહી છે. પરંતુ 80 કરોડ લોકોને પાંચ કિલો વધારાના ચોખ અથવા ઘઉં, એક કિલો દાળ નવેમ્બર 2020 સુધીમાં આપવા અંગેની વાત કહી છે. તેનાથી અલગ સરકાર તરફથી લોકડાઉનના સમયે ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત પેકેજ, EPF સ્કીમ જેવા નિર્ણયો લેવા અંગેની જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન લાગુ કર્યા પછી તરત જ લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો રોડ પર આવી ગયા હતા અને પગપાળા પોતાના ઘરે જવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક શ્રમિકોની અકસ્માત, ભૂખ-તરસ અને તબિયત ખરાબ થવાના કારણે મૃત્યુંના સમાચાર આવ્યાં હતા, જેના પર વિપક્ષે સરકારને ઘેરી હતી.