અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો કબજો વધી રહ્યો છે.જેને લઈ ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને અધિકારીઓને ડર સતાવી રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં વધ્યા તાલિબાનીનો કબજો
ભારતીયોને ખતરો ન હોવાનું તાલિબાનીઓનું નિવેદન
તાલિબાનો હાલ કાબૂલથી 50 કિમી જ છે દૂર
ત્યારે હવે ભારતીયોને લઈ તાલિબાનીઓએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોને અમારાથી કોઈ ખતરો નથી. આ મામલે તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને કહ્યું કે, અમારી તરફથી દૂતાવાસ અને રાજદૂતને કોઈ ખતરો નથી. અમે કોઈ પણ દૂતાવાસ અથવા રાજદૂતને ટાર્ગેટ કરવાના નથી.
ભારતીયોને અમારાથી કોઈ ખતરો નથી
ભારતને લઈ તેમણે કહ્યું કે, તાલિબાનના વિરૂદ્ધમાં અફઘાનની ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી નહી આપીએ. આ ઉપરાંત કહ્યું કે, અમે કોઈ પણ પાડોશી દેશને તાલિબાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અફઘાનની ધરતીના ઉપયોગ કરવાની મંજૂરી નહી આપીએ. ભારતીય સૈન્યને અફઘાનિસ્તાનમાં આવતા પહેલા અન્ય દેશની સ્થિતિને જોઈ લેવી જોઈએ.
સાથે જ તેમણે ગુરુદ્વારાને ટાર્ગેટ બનાવવા માટે કહ્યું કે, ગુરુદ્વારામાંથી ઝંડો અમે નહીં શિખ સમુદાય દ્વારા જ હટાવવામાં આવ્યો હતો અને જ્યારે અમારા સુરક્ષા અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે શિખ સમુદાય દ્વારા ઝંડો હટાવવામાં આવ્યો હતો, ત્યારે અમારા અધિકારીઓએ ફરીથી ઝંડો ફરકાવવા દેવાનું આશ્વાસન પણ આપ્યું.
ભારતીય સેના આવશે તો...
તો આ સાથે જ તાલિબાનોના પ્રવક્તાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત સૈન્ય રૂપે અફઘાનિસ્તાન આવશે કે તેમની હાજરી જોવા મળશે તો મને લાગે છે કે, આ તેમના માટે સારું નહીં રહે. તેમણે અફઘાનિસ્તાનમાં અન્ય દેશોના સેન્યની સ્થિતિ જોઈ છે માટે તેમના માટે એક ખુલ્લી કિતાબ છે.
અમેરિકા અને બ્રિટનની સરકાર અલર્ટ
તાલિબાનીઓના વધતા પ્રવાહને લઈને અમેરિકા અને બ્રિટનની સરકાર અલર્ટ થઈ છે.. અમેરિકા બાદ બ્રિટેન પોતાના દૂતાવાસના કર્મચારીઓને પરત બોલાવશે. કેનેડા દૂતાવાસની મદદ માટે અફઘાનના સ્થાનિકોએ વિશેષ અભિયાન પણ શરૂ કર્યું છે.
આતંકી સંગઠન તાલિબાન કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર
અફઘાનિસ્તાન પર ફરી તાલિબાન તેજીથી કબ્જો કરી રહ્યું છે. અને રાજધાની કાબુલ તરફ આગળ વધી રહ્યું છે. આતંકી સંગઠન તાલિબાન કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર છે. અને મળતી માહિતી મુજબ અશરફ ગની સરકાર તરફથી તાલિબાનના સંયુક્ત સત્તાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તાલિબાને પ્રસ્તાવ ફગાવી દીધો અને અફઘાનિસ્તાન પ્રાંતો પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. અને શાંતિવાર્તા સમિતિ નવી રણનીતિ તૈયાર કરવામાં લાગી છે. જેમાં રાષ્ટ્રપતિ અશરફ ગીની સરકાર જ પડી જશે.
મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિરામ માટે જે નવા ફોર્મૂલા પર કામ થઇ રહ્યું છે. તેના અંતર્ગત ગની સરકારે પીછેહટ કરવી પડશે. તાલિબાન સેના અધિકારીઓ અને કેટલાક વર્તમાન પ્રતિનિધિઓ સાથે અંતરિમ સરકાર બનાવશે. અને તમામ વિચારવિમર્શ બાદ આ ફોર્મૂલા તમામ સંબંધિત દળો સાથે ચર્ચા કરાશે. પરંતુ જો તાલિબાન અફઘાનિસ્તાન પર સત્તા મેળવી લે તો તેમનો નેતા કોણ હશે તે પણ સવાલ છે. ત્યારે હાલ હૈબતુલ્લા અખુનજાદાના હાથમાં આતંકી સંગઠનની કમાન છે અને તે જ તાલિબાનનો નેતા હશે.
આ સાથે જ અબ્દુલ ગની બરાદર તાલિબાનનો રાજકીય મામલાનો નેતા છે. અને દેશો સાથે વાતચીત કરવાની જવાબદારી અબ્દુલ ગનીના હાથમાં છે. અને સૈન્ય મામલા સંગઠનનો સંસ્થાપક મુલ્લા ઉમરનો દીકરો યાકૂબ જોવે છે.