કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વસતા અને પ્રવાસે જતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દીવમાં હાલ એકપણ કોરોનાનો કેસ નહીં.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ મુદ્દે સૌથી મોટા સમાચાર
દીવમાં હાલમાં કોરોનો એક પણ કેસ નહી
એક્ટિવ કેસ ન રહેતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો
કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ પ્રયત્નો છતા દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોના આંકડા વધતા જઇ રહ્યા છે. તેવામાં ગુજરાતના પાડોશી સંઘપ્રદેશ દીવને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે. દીવમાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. કોરોનાનો કોઇ કેસ ન હોવાથી દીવમાં તમામ સ્થળ ખુલ્લા રહેશે. દીવમાં તમામ સ્થળ ખુલ્લા રાખવાની પ્રશાસને જાહેરાત કરી છે.
ગુજરાત કોરોના અપડેટ(18-3-2021):
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંકટ વધુ ઘેરાઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1276 નવા દર્દી જ્યારે 899 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. સુરત શહેરમાં 324 કેસ અને ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 111 કેસ, જ્યારે ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 98 કેસ અને ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
10 રાજ્યોમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ
મહત્વનું છે કે કોરોના મહામારીથી 10 સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબ સામેલ છે. આ રાજ્યોમાં કોરોનાના આંકડાઓની વચ્ચે થોડી રાહતની વાત એ છે કે વધુ પડતા કેસ આ મોટા રાજ્યોમાં જ છે અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો અને ગોવા જેવા સ્થળોમાં કોરોનાનું સંક્રમણ ખતમ થઇ ચૂક્યું છે.