એક પ્રતિષ્ઠિત મેડિકલ સાયન્સ ક્ષેત્રની પત્રિકા લેન્સેટના અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને ગંભીર સંક્રમણ લાગે તેવી શક્યતા છે, તે સૂચવવા માટે હજી સુધી કોઈ નક્કર પુરાવા નથી.
કોવિડ-19 રોગચાળાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને ગંભીર સંક્રમણ લાગે તેવી શક્યતા છે
મોટાભાગના બાળકોમાં વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ તાવ અને શ્વાસની સમસ્યાઓ જેવા લક્ષણો પણ જોવા મળ્યા
એક લાખ સંક્રમિત બાળકોમાંથી માત્ર 500 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી અને તેમાંથી બે ટકા બાળકોમૃત્યુ પામ્યા હતા
લેન્સેટ કોવિડ-19 કમિશન ઇન્ડિયા ટાસ્ક ફોર્સે દેશમાં અગ્રણી બાળરોગ નિષ્ણાતોના નિષ્ણાત જૂથ સાથે ભારતમાં પીડિયાટ્રિક કોવિડ-19ના વિષય પર ચર્ચા કર્યા બાદ આ અહેવાલ તૈયાર કર્યો હતો. તૈયાર કરેલી રેપોટમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમિત બાળકોમાં એજ લક્ષણો જોવા મળ્યા છે જે લક્ષણો વિશ્વના અન્ય દેશોના કોરોના સંક્રમિત બાળકોમાં પણ જોવા મળ્યા છે.
રિપોર્ટના અનુસાર, ઘણા બાળકોમાં કોરોના સંક્રમણના હળવા લક્ષણો પણ જોવા મળ્યા છે. મોટાભાગના બાળકોમાં વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ તાવ અને શ્વાસની સમસ્યાઓ જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે. પુખ્ત વયના લોકોની તુલનામાં બાળકોમાં કોલેરા, ઉલ્ટી અને પેટમાં દુખાવાને લગતા અન્ય જઠરાંત્રિય લક્ષણો જોવા મળ્યા છે. કિશોરાવસ્થાની આસપાસના બાળકોને પણ રોગના લક્ષણો થવાનું તીવ્ર જોખમ હોય છે.
દેશમાં કોવિડ-19ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોરોના ગ્રસ્ત બાળકો અને હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકોની સંખ્યા અંગેનો કોઈ ડેટા રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવ્યો નથી અને તેથી તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી-NCR ક્ષેત્રની 10 હોસ્પિટલોમાં દાખલ 10 વર્ષથી ઓછી વયના લગભગ 2600 બાળકોના ક્લિનિકલ ડેટા એકત્રિત કર્યા બાદ અને તેનું વિશ્લેષણ કર્યા બાદ જ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.આંકડા અનુસાર, કોવિડ-19ને કારણે 10 વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યુદર 2.4 ટકા નોંધાયો છે. અહેવાલ અનુસાર સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લગભગ ૪૦ ટકા બાળકો પણ કેટલીક ગંભીર બીમારીથી પીડાતા હતા.
દેશની ટોચની હોસ્પિટલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લેન્સેટ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બાળરોગ નિષ્ણાત શેફાલી ગુલાટી, સુશીલ કે કાબરા અને રાકેશ લોઢા જેવા ડોકટરોએ ભાગ લીધો હતો. સુશીલ કે કાબરાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત પાંચ ટકાથી ઓછા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે, જેમાં મૃત્યુદર બે ટકા સુધી રહેશે
કાબરાએ જણાવ્યું છે કે, એક લાખ સંક્રમિત બાળકોમાંથી માત્ર 500 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી અને તેમાંથી બે ટકા બાળકોમૃત્યુ પામ્યા હતા. બાળકોમાં રોગના ગંભીર લક્ષણો થવાનું જોખમ અત્યંત ઓછું છે. સંક્રમિત થયેલ કેટલાક બાળકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. સંક્રમિત થયેલ માત્ર એજ બાળકો મૃત્યુ પામ્યા છે જેઓ પહેલાથી ડાયાબિટીસ, કેન્સર અને કુપોષણ જેવા અન્ય ગંભીર રોગોથી પીડાતા હતા. સામાન્ય બાળકોમાં આના કારણે મૃત્યુ થવાનું જોખમ ઘણું ઓછું હોય છે. લેન્સેટ રિપોર્ટ માર્ચ ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૧ અને એપ્રિલ ૨૦૨૧ વચ્ચે કોરોના વાઈરસની બંને લહેરના ડેટા પર આધારિત છે.