ખેડૂત આંદોલનના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે જે દેશમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તે દેશમાં કોઈ પણ કંપની ખેડૂતની જમીન પચાવી નહિ શકે. મહત્વનું છે કે ગૃહ પ્રધાન શાહ આ મુદ્દે દિલ્હીના વિસ્તારમાં એક સભાને સંબોધી રહ્યા હતા.
રાષ્ટ્રીય રાજધાની વિસ્તારના કિશનગઢ ગામમાં લોકોને સંબોધન કરતાં અમિત શાહ એ કહ્યું હતું કે, જો ખેડૂત સંગઠનોને લાગે છે કે નવા કૃષિ કાયદાની જોગવાઈ તેમના હિતની વિરુદ્ધ છે, તો કેન્દ્ર સરકાર તેની ચર્ચા કરી શકે છે અને ખુલ્લા મનથી તેના પર વિચાર કરી શકે છે. સરકાર આ મુદ્દે તૈયાર છે.
MSP સિસ્ટમ ચાલુ રહેશે અને મંદીઓ બંધ નહીં થાય : ગૃહ મંત્રી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે ત્યાં સુધી કોઈ પણ કંપની ખેડૂતો પાસેથી તેમની જમીન છીનવી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ MSP સિસ્ટમ ચાલુ રહેશે અને મંડીઓ બંધ રહેશે નહીં.
અમિત શાહે કહ્યું હતું કે' જો ખેડૂત સંગઠનોને લાગે છે કે નવા કૃષિ કાયદા ની જોગવાઈ તેમના હિતની વિરુદ્ધ છે, તો કેન્દ્ર સરકાર તેની ચર્ચા કરવા અને ખુલ્લા મનથી વિચાર કરવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, વિપક્ષ આ મુદ્દે બિનજરૂરી હાકોટા પડકારા કરી રહ્યું છે. તેમણે ખેડૂતો ને ખાતરી આપી હતી કે ત્રણ કૃષિ કાયદા તેમના હિતમાં છે અને તેમને નુકસાન નહી પહોંચાડે.
MSP અને ખેડૂતોની જમીનો બંનેને કશું જ નુકસાન નથી : અમિત શાહ
તેમણે કહ્યું, 'ન તો લઘુત્તમ ટેકાના ભાવ MSP સમાપ્ત થશે, ન કોઈ તમારી જમીન છીનવી શકે છે. હું ખેડૂતો ને કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી કોઈ પણ કોર્પોરેટ તમારી જમીન છીનવી શકે નહીં, આ તમામને ભાજપ નું વચન છે. '' શાહે કોંગ્રેસ સહિતના વિપક્ષો પર આ મુદ્દે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.